બનાસકાંઠા જીલ્લામાં દાંતા પ્રાંત હેઠળના અમીરગઢમાં આવેલ અગ્રવાલવાસ (મોહિની ભવન સામે) માં કોરોના પોઝીટીવ કેસ નોંધાતા દાંતા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી દ્વારા આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરવામાં આવ્યો છે.
અમીરગઢના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ પી. ટી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ‘જાહેર કરવામાં આવેલા કન્ટેઇનમેન્ટ એરીયામાં તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ સવારે 7:00 કલાકથી સાંજના 7:00 કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.
આ જાહેરનામું તા. 30 ડિસેમ્બર-2021 થી તા. 26 જાન્યુઆરી-2022 એમ 28 દિવસ સુધી અથવા કન્ટેઇનમેન્ટ ઝોનમાં કોવિડ પોઝીટીવ દર્દીઓમાંના છેલ્લા દર્દીને ડીસ્ચાર્જ આપ્યાના 14 દિવસ સુધી અમલમાં રહેશે.
ઉપરાંત અન્ય કોઇ જાહેરનામાથી મુદ્દત વધારો કરવામાં ન આવે તો આ જાહેરનામાની મુદ્દત પૂર્ણ થતાં કન્ટેઇનમેન્ટ ઝોનના નિયંત્રણોમાંથી તેઓ આપોઆપ મુક્ત થયેલા ગણાશે.
અન્ય કોઇ કન્ટેઇનમેન્ટ ઝોનના નિયંત્રણોમાંથી મુક્ત અંગેનું જાહેરનામું બહાર પાડવાનું રહેશે નહી તેમ અમીરગઢ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ પી. ટી. પ્રજાપતિએ જણાવ્યું હતું.’
From-Banaskantha update