વાવમાં મકાન પર વીજળી પડતાં ઘરવખરીને નુકશાન : 2 બાળકો ઘાયલ

- Advertisement -
Share

વીજળી પડતાં ઘર માલિકને મોટું નુકશાન થયું

 

વાવમાં વીજળી એક ઘર પડતાં ઘરવખરી અને ઘરના સભ્યોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. વીજળી પડતાં ઘર માલિકને મોટું નુકશાન થયું હતું.
જયારે બાળકો સહીતને ઇજાઓ પહોંચી હતી. વાવમાં રવિવારે 9:00 વાગ્યે વરસાદી ઝાપટા સાથે વાવના હરીપુરા પ્લોટ વિસ્તારમાં રહેતાં રાસેંગભાઇ કેશરાભાઇ વેણના મકાન પર વીજળી પડતાં સિમેન્ટના
પતરા અને દીવાલમાં તિરાડ વીજ મીટર સાથે વાયરીંગ,કપડાં,કબાટ,ગાદલા અને ખાટલો સહીત બળીને ખાખ થઇ ગયા હતા. જયારે ઘરમાં રહેલ સભ્યોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

 

જેને લઇ વાવ રેફરલમાં સારવાર અપાઇ હતી. જેની જાણ વાવ ગ્રામ પંચાયતને કરતાં વાવ ગ્રામ પંચાયતના તલાટી વિક્રમભાઇ રાજપૂત અને કારકુન ભાણાભાઇ વેંઝીયા ઘટનાસ્થળે દોડી જઇ જાત નિરીક્ષણ કરી પંચોની હાજરીમાં પંચનામું કરી ઉપરની કચેરીએ મોકલી આપ્યું હતું.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!