ડીસા રામદેવપીરના મંદિરે ભગવાનને આજે નવા નેજા ચઢાવાયા હતા. શહેર તેમજ તાલુકાના અલગ અલગ વિસ્તારમાંથી ભક્તોએ વાજતે ગાજતે ચાલતા મંદિરે જઈ 500થી વધુ નેજા અલખ ધણીને ચઢાવાયા હતા.
ભાદરવા સુદ નોમના દિવસે રણુજાના રાજા ભગવાન રામાપીરને નવા નેજા ચઢાવવામાં આવે છે જેમાં આજે ડીસા શહેર તેમજ આજુબાજુના ગામડાઓમાંથી રામાપીર ભગવાનના મંદિરે 500થી પણ વધુ નેજા ચઢાવવામાં આવ્યા હતા.
ભાદરવા સુદ બીજથી લઈ ભાદરવા સુદ અગિયારસ સુધી રણુજામાં રામદેવપીરનો મોટો મેળો જાય છે જ્યારે દેશભરમાં આવેલા રામાપીરના મંદિરે આ દિવસોમાં નવા નેજા ચઢાવવામાં આવે છે.
ત્યારે આજે ડીસા શહેરમાં પણ જલારામ મંદિરની સામે આવેલા રામાપીર મંદિરે ભક્તો દ્વારા નેજા ચઢાવવામાં આવ્યા હતા ડીસા શહેરમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી લોકો વાંચતી ઘટે શોભાયાત્રા કાઢી રામાપીર મંદિરે જઈ નવા નેજા ચઢાવ્યા હતા. રામાપીર મંદિરે ભાવિકોની મોટી ભીડ લાગી હતી જ્યારે રાત્રે મંદીર આગળ ભજન સંતવાણીનો કાર્યક્રમ પણ યોજાયો હતો હજુ ભાદરવા સુદ અગિયારસના દિવસે પણ ભગવાનને નવા નેજા ચઢાવવામાં આવશે.
From – Banaskantha Update