થરાદ-મીઠા હાઇવે પર પસાર થતી મુખ્ય નર્મદા નહેરના પુલ નજીક યુવકની તરતી લાશ પાણીના વહેણ સાથે આગળ વધતી રાહદારીઓની નજરે પડતાં ઘટના સ્થળે લોકો એકઠાં થવા પામ્યાં હતાં. જેમાં કોઈએ નગરપાલિકા તરવૈયાને જાણ કરવામાં આવતાં પાલિકા તરવૈયા સુલતાન મીર ઘટના સ્થળે પહોંચી તરતી લાશને બહાર કાઢતાં તેની ઓળખ થવા પામી હતી.
મૃતક યુવક રાજસ્થાનનું હોવાનું જાણવા મળતાં તેના પરિવારજનોને જાણ કરવામાં આવતાં મૃતકનો પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક યુવકે આપઘાત કર્યો કે હત્યા તેનું કારણ અકબંધ છે.
પોલીસે મૃતદેહ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. પરંતુ મુખ્ય નહેરમાં કેટલાક લોકો આપઘાત કરી જીવન ટૂંકાવી દેતાં પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
From – Banaskantha Update