અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ અને બાલુન્દ્રા ગામ વચ્ચેથી બનાસ નદી પસાર થાય છે. આ નદીમાં અત્યારે પાણી ન હોવાને કારણે સુકાઈ ગયેલી સ્થિતિમાં છે અને સફેદ રેતી પથરાયેલ જોવા મળે છે.
જે રેતી બાંધકામ કરવાના કામે પુષ્કળ પ્રમાણમાં વપરાય છે તેમ જ આ રોયલ્ટી આજુબાજુના વિસ્તારમાં વખણાય છે. જેના લીધે બનાસ નદીના પટમાંથી પુષ્કળ પ્રમાણમાં રોયલ્ટીની ચોરી કરવામાં ભૂ માફિયા બેફામ બન્યા છે.
હાલમાં કોરોના જેવી મહામારા ચાલુ હોવાથી મોટાભાગની કચેરીઓ બંધ હોવાનો ફાયદો ઉઠાવી રહેલા ભૂ માફીયા સામે તંત્ર લાલ આંખ કયારે કરશે..? તે જોવાનું રહેશે.
ત્યારે આ વિસ્તારના સ્થાનિકોનું કહેવાનુ થાય છે કે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ પોતાની ટીમ સાથે અચાનક દરોડા કરી અને આ રેતી માફીયાઓને ઝેલ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
From – Banaskantha Update