અમીરગઢ મામલતદારને અંધારામાં રાખી ભૂ-માફિયા બન્યા બેફામ, ખાણ – ખનિજ વિભાગના અધિકારીઓ ઘોર નિદ્રામાં

- Advertisement -
Share

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ અને બાલુન્દ્રા ગામ વચ્ચેથી બનાસ નદી પસાર થાય છે. આ નદીમાં અત્યારે પાણી ન હોવાને કારણે સુકાઈ ગયેલી સ્થિતિમાં છે અને સફેદ રેતી પથરાયેલ જોવા મળે છે.

 

 

 

જે રેતી બાંધકામ કરવાના કામે પુષ્કળ પ્રમાણમાં વપરાય છે તેમ જ આ રોયલ્ટી આજુબાજુના વિસ્તારમાં વખણાય છે. જેના લીધે બનાસ નદીના પટમાંથી પુષ્કળ પ્રમાણમાં રોયલ્ટીની ચોરી કરવામાં ભૂ માફિયા બેફામ બન્યા છે.

 

 

 

 

હાલમાં કોરોના જેવી મહામારા ચાલુ હોવાથી મોટાભાગની કચેરીઓ બંધ હોવાનો ફાયદો ઉઠાવી રહેલા ભૂ માફીયા સામે તંત્ર લાલ આંખ કયારે કરશે..? તે જોવાનું રહેશે.

 

 

 

 

 

ત્યારે આ વિસ્તારના સ્થાનિકોનું કહેવાનુ થાય છે કે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ પોતાની ટીમ સાથે અચાનક દરોડા કરી અને આ રેતી માફીયાઓને ઝેલ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!