ભાભર યુ.જી.વિ.સી.એલ. કંપનીમાં ફરજ બજાવતા યુવાનને વિજપોલ પર કરંટ લાગતાં સ્થળ ઉપર કમ કમાટી ભર્યું મોત નિપજવા પામતાં પંથકમાં આઘાત ફેલાવા પામ્યો હતો.
ભાભર વિજ કંપનીમાં ફરજ બજાવતા ઠાકોર સુરેશભાઇ કરસનભાઇ ઉ.વ.આ.35 રહે કમાલપુરા/ભાભર તા.ભાભર વાળા તેઓ અબાસણા ગામની વિજ લાઇન ઉપર કામ કરી રહ્યા હતા. તે દરમ્યાન વિજપ્રવાહનો અર્થીગ થતાં સુરેશભાઇને હેવી કરંટ લાગવા પામ્યો હતો.
અતિભારે કરંટ લાગતાં સુરેશભાઇનું સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નિપજવા પામ્યું હતું. દુઃખદ ઘટનાને લઇ ભાભર પંથકમાં આઘાત ફેલાવા પામ્યો હતો. એક પુત્ર અને 2 પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા ભારે દુઃખની લાગણી ફેલાવા પામી છે. મૃતકની લાશને પી.એમ. અર્થે ભાભર c.h.c ખાતે લઇ જવામાં આવિ હતી. વિજ કંપનીના અધિકારીઓએ આ બાબતે પોલિસ કાર્યવાહિ કરી હતી.
From – Banaskantha Update