શાળામાં જર્જરીત ઓરડા ઉતારવાની કામગીરી દરમિયાન ઘટના બની
દાંતા તાલુકાના વડવેરા પ્રાથમિક શાળામાં શુક્રવારે જર્જરીત ઓરડા ઉતારવાની કામગીરી દરમિયાન દીવાલ ઘસી પડતાં 3 શ્રમિકો દટાયા હતા.
જયારે તાત્કાલીક ગંભીર ઘાયલ શ્રમિકોને 108 વાન મારફતે સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડયા હતા.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના વડવેરામાં આવેલ પ્રાથમિક શાળામાં શુક્રવારે ઓરડા જર્જરીત હોવાથી 7 જેટલાં શ્રમિકો જર્જરીત ઓરડા ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા.
તે દરમિયાન અચાનક દીવાલ ઘસી પડતાં 3 જેટલાં શ્રમિકો દટાયા હતા. આ ઘટનાને પગલે આજુબાજુના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
જયારે તાત્કાલીક 108 વાનની ટીમને જાણ કરતાં 108 વાનની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી તાત્કાલીક ગંભીર રીતે ઘાયલ થયેલા શ્રમિકોને સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાના પગલે જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
From-Banaskantha update