પાલનપુરમાં તળાવમાંથી યુવકની લાશ મળી આવતાં ચકચાર

- Advertisement -
Share

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા મૃતદેહને જોવા ઉમટ્યા

 

પાલનપુર શહેરના માન સરોવર તળાવમાં શુક્રવારે બપોરે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. જો કે, પૂર્વ પોલીસે મૃતદેહ બહાર કઢાવી પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

માન સરોવર તળાવમાં શુક્રવારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ તરતો દેખાતાં સ્થાનિક લોકોએ પૂર્વ પોલીસ અને નગરપાલિકા ફાયર-ફાઇટર વિભાગની ટીમને જાણ થતાં તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી.

 

જેમાં ફાયર-ફાઇટર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી તળાવમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
બાદમાં પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી મૃતદેહની ઓળખ વિધી હાથ ધરી છે.

 

જો કે, ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જયારે પુલ પરના વાહનચાલકોએ પોતાની ગાડીઓ ત્યાં જ મૂકી પુલ પરથી લાશને જોવા ટોળે વળ્યા હતા.
ફાયર ઓફીસર જવલસિંહ જાડેજાની સુચના અનુસાર, લીંડીગ ફાયરમેન મહાદેવજી ઠાકોર, જગદીશભાઇ, ફાયર ટીમ સાગરભાઇ, ઇન્દ્રપાલભાઇ, રસીકભાઇ, બિરેન્દ્રભાઇ અને શામળભાઇના સહયોગથી લાશને બહાર કાઢવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!