ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં કોરોના કાળમાં છત્રછાયા ગુમાવનાર 68 વિદ્યાર્થીઓની ફી પણ તેઓ ભરવાના છે
ડીસામાં સદ્દભાવના ગૃપે કોરોના કાળમાં છત્રછાયા ગુમાવનાર કોલેજના વિદ્યાર્થીની શૈક્ષણિક ફી ભરતાં માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સક્રીય ઇ.સી. (કારોબારી મેમ્બર) અને સદ્દભાવના ગૃપના પ્રમુખે બુધવારે ડીસા કોલેજના BCOM SEM_5 વિદ્યાર્થી રાહુલ પરમારના પિતાજી કોરોના કાળમાં મૃત્યુ પામ્યા તેની શૈક્ષણિક ફીનો ચેક આપી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘તેઓએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં કોરોના કાળમાં છત્રછાયા ગુમાવનાર 68 વિદ્યાર્થીઓની ફી પણ તેઓ ભરવાના છે. આવા બનાસકાંઠા જીલ્લાના ગૌરવ સમાન અને વિદ્યાર્થીઓના દરેક પ્રશ્નો માટે સતત ખડેપગે ઉભા રહેનાર હરેશભાઇનો આભાર વ્યક્ત કર્યો હતો.’
From –Banaskantha Update