પાલનપુરમાં યુવકે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર

- Advertisement -
Share

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા : પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

પાલનપુર-ડીસા હાઇવે નજીક આવેલી તિરૂપતિ ટાઉનશીપ સોસાયટીમાં રહેતાં એક યુવકે બુધવારે સાંજના સુમારે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવતાં ચકચાર મચી ગઇ હતી.
આ અંગે પોલીસ મથકે જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર-ડીસા હાઇવે નજીક આવેલી તિરૂપતિ ટાઉનશીપમાં રહેતાં મૂળ દાહોદના હીતેશ કૌશલ શર્મા (ઉં.વ. આ. 33) પોતાના મકાનમાં બુધવારે સાંજના સુમારે અગમ્ય કારણોસર
ગળે દુપટ્ટો બાંધી પંખા સાથે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચક્ચાર મચી ગઇ હતી. જયારે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
આ અંગે નીતુ હીતેશકુમાર શર્માએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!