થરાદની મુખ્ય કેનાલમાંથી આજે ફરી એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. કેનાલમાં યુવકની તરતી લાશ જોવા મળતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક થરાદ પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
થરાદ ખાતે આવેલ નર્મદાની મુખ્ય કેનાલ મોતની કેનાલ બની હોય તેમ એક પછી એક આ કેનાલમાંથી લાશ મળી આવવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આજે થરાદની મુખ્ય કેનાલમાં ફરી લાશ મળી આવી છે. થરાદની લોરવાડા પુલ પાસે આજે કેનાલમાં એક યુવકની લાશ મળી આવી છે.
આજે કેનાલમાં એક યુવકની કેનાલમાં તરતી લાશ જોવા મળતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક થરાદ પોલીસને જાણ કરતા પોલીસની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી સ્થાનિક તરવૈયાની મદદથી કેનાલમાંથી યુવકની લાશ બહાર નીકાળી હતી. મૃતક યુવક કમાલી ગામનો 18 વર્ષીય યુવક હોવાનું સામે આવ્યું હતું. અગમ્ય કારણોસર કેનાલમાં મોતની છલાંગ લગાવ્યા હોવાનું અનુમાન સામે આવ્યું છે.
From – Banaskantha Update