ડીસાના રાણપુરમાં પાણીની પાઇપલાઇન બાબતે 2 શખ્સોએ દંપતી પર જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

ડીસા તાલુકા પોલીસ મથકે 2 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 

ડીસાના રાણપુર આથમણવાસમાં રહેતાં એક ખેડૂતની પાણીની પાઇપલાઇન તોડી દંપતી પર જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે ખેડૂતે ડીસા તાલુકા પોલીસ મથકે 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના રાણપુર આથમણાવાસમાં રહેતાં વિક્રમભાઇ રમેશભાઇ સાંખલા ખેતી કરે છે. જેમની જમીન સર્વે નં. 794 વાળી આવેલ છે.

 

ગત તા. 07/06/2022 ના રોજ વિક્રમભાઇ પોતાના ખેતરે હતા અને પશુઓ માટે ઘાસચારો લેતાં હતા. તે દરમિયાન નજીકમાં રહેતાં પ્રકાશ ગોવાજી સાંખલા અને મનિષ ગોવાજી સાંખલાએ ત્યાં આવેલા અને

 

વિક્રમભાઇને કહેવા લાગેલ કે, તે પાણીની પાઇપ રસ્તામાં કેમ નાખી છે તે કાઢી લે અહીંથી તારે પાણી લઇ જવું નહી તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા.

 

જેથી વિક્રમભાઇએ કહેલ કે, હું પાઇપ થોડા દિવસ પછી કાઢી લઇશ. તમે ઝઘડો કરશો નહી તેમ કહેતાં આ બંને એકદમ આવેશમાં આવી ગયા હતા અને પથ્થર મારી પાણીની પાઇપ તોડી નાખી ઉખાડી નાખી હતી.

 

જેથી વિક્રમભાઇની પત્નીએ પણ ઝઘડો ન કરવા કહેતાં આ બંનેએ ઉશ્કેરાઇ જઇને વિક્રમભાઇ અને તેમની પત્નીને માર માર્યો હતો અને ઢોર બાંધવાના છાપરા પણ તોડી નાખ્યા હતા.

 

જો કે, વધુ મારની બીકથી વિક્રમભાઇ તેમના ખેતરમાં જતા રહ્યા હતા. તે દરમિયાન આ બંને શખ્સોએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા.

 

જેથી વિક્રમભાઇ પરિવાર સાથે ગામમાં જઇ પરિવારજનોને આ બાબતની જાણ કરી હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે પ્રકાશ ગોવાજી સાંખલા અને મનિષ ગોવાજી સાંખલા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!