ડીસાના ખેટવામાં તળાવ ગરમીમાં સુકાયું : માછલીઓ મરવા લાગી, પાણી ભરવા ગ્રામજનોની માંગ

- Advertisement -
Share

ડીસા તાલુકાના ખેટવા ગામમાં આવેલ તળાવમાં ઉનાળાની ગરમી વચ્ચે પાણી સૂકાવા લાગતા તળાવમાં રહેલી માછલીઓ પણ ટપોટપ મરવા લાગી છે આ તળાવમાં નર્મદાની પાઇપલાઇન દ્વારા પાણી નાખવામાં આવે છે જેને લઇ હજારો માછલીઓ તળાવમાં રહેતી હતી.

પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તળાવનું પાણી સુકાતા તળાવમાં રહેલી માછલીઓ પણ ટપોટપ મરવા લાગી છે ત્યારે નર્મદાની પાઇપલાઇન દ્વારા તળાવ ભરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અત્યારે પાઇપલાઇન દ્વારા દાંતીવાડા ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે તળાવમાં પણ પાણી ભરવામાં આવે તેવી માંગ છે પાણીના અભાવે માછલીઓ મરવા લાગતાં જીવદયા પ્રેમીઓમાં પણ કચવાટ ઉભો થયો છે ત્યારે નર્મદાની પાઇપલાઇન દ્વારા આ તળાવમાં પાણી નાખવામાં આવે તો અનેક જીવોને બચાવી શકાય તેમ છે.

આ બાબતે ખેટવા ગામના સ્થાનિક યુવાન રેવાભાઈ દેસાઈ જણાવ્યું હતું કે, અમારા ગામમાં પાઇપલાઇન દ્વારા પાણી નાખવામાં આવી રહ્યું છે પરંતુ કેટલાય સમયેથી પાણી બંધ કરી દેતાં તળાવમાં પાણી સુકાતા માછલીઓ હતી તે અત્યારે એકાએક મરવા લાગી છે તેમજ માછલીઓ મરવાથી દુર્ગધ ફેલાવા લાગી છે ત્યારે તંત્ર દ્વારા પાણી છોડવામાં આવે તેવી અમારી માંગ છે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!