અમીરગઢના ઇકબાલગઢમાં બે આખલાઓના યુદ્ધથી લોકોમાં અફરાતફરી, રખડતા ઢોરોનો ત્રાસ યથાવત

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં રખડતા પશુઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ઈકબાલગઢના મુખ્ય બજાર તેમજ આજુબાજુના વિસ્તારમાં આખલાઓ બાખડ્યા હતા. જેને લઈ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આખલા યુદ્ધના પગલે અફરાતફરી જોવા મળી હતી.

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે રખડતા પશુઓનો ત્રાસ પ્રતિદિન વધવા લાગ્યો છે. જેને લઈ ઇકબાલગઢ તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોમાં ભય ફેલાયો છે.
આ વચ્ચે ઈકબાલગઢમાં બે આખલાઓ સામસામે આવી જતા બાખડ્યા હતા. જેથી લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાહેરમાં આખલાઓ બાખડતા અવર-જવર કરતાં વાહન ચાલકો તેમજ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!