બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અચાનક વાતાવરણમાં પલટો સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થઈ જતાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.
છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો સર્જાયો છે અને વાદળછાયું વાતાવરણ રહેતા અસહ્ય ગરમીથી રાહત મળી છે તેમજ દિવસભર ધૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓ પરેશાન થઇ ઊઠ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ ગરમી તેનો અસલી મિજાજ બતાવી રહી છે અને ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થઈ જતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા અગન ગોળા વરસાવતી ગરમીના કારણે જનજીવન પર અસર જોવા મળી હતી.
પરંતુ છેલ્લા ત્રણ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો સર્જાયા હતા વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું અને દિવસભર ધૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો ભારે પરેશાન થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો સર્જાતા તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો અને વાદળછાયું વાતાવરણ રહેતા અસહ્ય ગરમીથી રાહત મળી હતી.
From – Banaskantha Update