વડગામના પરખડીની શાળામાં આધેડ લંપટ શિક્ષક વર્ગખંડમાં અશ્લિલ વાક્યો ઉચ્ચારતાં ચકચાર

- Advertisement -
Share

પાલનપુરથી 10 કિ.મી. દૂર પરખડી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકની લંપટ લીલાનો પર્દાફાશ : શિક્ષકને હાલ પૂરતો સ્કૂલમાંથી હટાવી લેવાયો : ધો. 8 માં દરરોજની માનસિક હેરાનગતિ સહન ન થતાં વિદ્યાર્થીનીઓએ શિક્ષિકાને વાત કરતાં લંપટ શિક્ષકની કરતૂતો બહાર આવી

પાલનપુરથી 10 કિલોમીટરના અંતરે આવેલા વડગામ તાલુકાના પરખડી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 50 વર્ષિય આધેડ શિક્ષક ફલજીભાઇ વળાગાંઠ વર્ગખંડમાં છાત્રાઓ સામે અશ્લિલ વાક્યો બોલતો હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે.
શિક્ષકની આ હરકતથી ગ્રામજનોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠયો છે અને એક જ માંગણી કરવામાં આવી રહી છે. લંપટ શિક્ષકને સ્કૂલમાંથી દૂર કરી કડક કાર્યવાહી કરવામાં આવે. જોકે, ઘટનાને પગલે શિક્ષકને હાલ પૂરતો સ્કૂલમાંથી હટાવી લેવાયો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, વડગામનું નાનકડું પરખડી ગામ જેની વસ્તી આશરે 1,500 જેટલી છે. જ્યાં આવેલી પ્રાથમિક શાળામાં બપોરે તપાસ કરતાં રિશેષ પુરી થતાં છાત્રો કલાસ રૂમમાં જઇ રહ્યા હતા.
આચાર્ય મહેસાણાના બળદેવભાઇ પ્રજાપતિ તેમની ઓફીસમાં બેઠા હતા. ઘટના અંગે પૂછતાં તેમણે કહ્યું કે, ‘પરખડી ગામના જ ફલજીભાઇ લાલજીભાઇ વળાગાંઠ (ઉં.વ.આ. 50) વર્ષ 2012 થી ગામની જ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

 

જેઓ વર્ગખંડમાં અભ્યાસ કરાવતી વખતે છાત્રાઓ સમક્ષ એકદમ ખુલ્લી ભાષામાં અશ્લિલ વાક્યો ઉચ્ચારતાં હોવાની જાણ તા. 07/10/2022 ના દિવસે વર્ગ શિક્ષિકાએ મને કરી હતી.
આ અંગે શિક્ષિકા બહેનોએ ફલજી વળાગાંઠને ઠપકો આપતાં તેણે માફી માંગી લીધી હતી. જોકે, વિદ્યાર્થીનીઓએ આ વાત તેમના ઘરે કરતાં વાલીઓ અને ગામના આગેવાનો એકત્ર થઇ આ શિક્ષકની બદલી કરાવવા માટે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે.’
આ અંગે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.એમ. પટેલે જણાવ્યું હતું કે, ‘શાળાના શિક્ષક સામે ગ્રામજનો દ્વારા કરાયેલી અરજી મળી છે. આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જેના અંતે કાર્યવાહી કરવામાં આવશે.’

 

આ અંગે ગામના ડેપ્યુટી સરપંચ ગલબાભાઇ ધનાભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, ‘શિક્ષક ફલજી વળાગાંઠ કેવી રીતે વર્ગખંડમાં અશ્લિલ વાક્યો ઉચ્ચારી માનસિક ત્રાસ આપતો હતો. તે અંગે શાળાની વિધાર્થીનીઓનું નિવેદન રેકોર્ડ કરાયું હતું.
તે વખતે દીકરીઓએ રડતાં રડતાં કહ્યું હતું કે, અમારે આ શિક્ષક પાસે નથી ભણવું જે રેકોડીંગ સાથે રાખીને શિક્ષક સામે પગલાં ભરવા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરાઇ છે. આધેડ પરિણીત શિક્ષક 2 સંતાનોનો પિતા છે.’

 

આ અંગે ગ્રામજનોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, ‘માં સરસ્વતીના ધામમાં ગંદી ભાષા બોલી દીકરીઓને ત્રાસ આપનાર આવા શિક્ષક સામે પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી કરી સજા કરવામાં આવે તો અન્ય આવા નરાધમોને પણ સબક મળશે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!