અમીરગઢના રેલ્વે ટ્રેક પરથી યુવક-યુવતીનો કપાયેલો મૃતદેહ મળી આવતાં ચકચાર

- Advertisement -
Share

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા : અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી : યુવક અને યુવકના મૃતદેહને અમીરગઢ રેફરલમાં પી.એમ. અર્થે ખસેડાયા

 

અમીરગઢ નજીક રેલ્વે ટ્રેક પર અજાણ્યા યુવક-યુવતીનો કપાયેલો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઇ છે.

જેમાં મંગળવારે રાત્રિ દરમિયાન અમીરગઢના રેલ્વે ટ્રેક નજીક એક યુવક અને એક યુવતી રેલ્વેની અડફેટે કપાયેલી હાલતમાં મળી આવ્યા હતા.
જો કે, બંનેએ સજોડે આપઘાત કર્યો કે, બંનેનો અકસ્માત થયો છે એ લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. આ બનાવના પગલે સ્થાનિકોએ અમીરગઢ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ નજીક રેલ્વે ટ્રેક પરથી એક યુવક અને એક યુવતીનો કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઇ છે.

 

જેમાં મંગળવારે રાત્રિ દરમિયાન અજાણ્યા યુવક અને યુવતીનો રેલ્વે ટ્રેક પરથી મૃતદેહ મળી આવતાં સ્થાનિક લોકોના ટોળેટોળા જોવા ઉમટ્યા હતા.

 

જો કે, સ્થાનિક લોકોએ અમીરગઢ પોલીસને જાણ કરતાં અમીરગઢ પોલીસે રેલ્વે ટ્રેક પર પહોંચી યુવક અને યુવતીના મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો.

 

આ ઉપરાંત યુવક અને યુવતીના પરિવારની શોધખોળ હાથ ધરી હતી. આ અંગે અમીરગઢ પોલીસે યુવક અને યુવતીના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!