બસ અને ટ્રક અકસ્માતમાં 3 લોકોના મોત : 23 લોકો ઘાયલ થયા હતા
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર-અમદાવાદ હાઇવે પર તા. 14 મે-2022 ના રોજ વહેલી સવારે 3 વાગ્યાના સુમારે એક બસ ઉભેલી ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.
આ ગમખ્વાર અકસ્માતના સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 23 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં પાલનપુર-અમદાવાદ હાઇવે પર એક બસ ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતાં જ ઘટનાસ્થળ પર સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.
અને ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધર્યાં હતા. જો કે, અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતા અને 23 જેટલાં લોકો ઘાયલ થયા હતા.
આ બનાવને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતા. જો કે, મોડી રાતના આ બનાવના હાલમાં સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બસને ટ્રક સાથે ધડાકાભેર અથડાતી જોઇ શકાય છે.
From-Banaskantha update