બનાસકાંઠામાં ફરી એકવાર પાણીને લઈને છેડાશે આંદોલન : ખેડૂતોની યોજાશે મહારેલી

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં હાલ કોઈ સમસ્યા હોય તો તે છે પાણીની સમસ્યા… બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકામાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે જેને લઇને ખેડૂતો આંદોલન છેડી રહ્યા છે જે થોડા દિવસ અગાઉ દિયોદર ખાતે પણ ખેડૂતોએ ભારે આંદોલન કર્યું હતું તે બાદ સરકાર દ્વારા ખેડૂતોને પાણી મળી રહે તેવું આશ્વાસન આપતા ખેડૂતોએ પોતાનું આંદોલન સમેટાયું હતું જે બાદ ફરી બનાસકાંઠાના વડગામ ખાતે ખેડૂતો પાણીના મુદ્દાને લઇને આગામી 26 તારીખે મહારેલી યોજશે.
બનાસકાંઠા જિલ્લામાં ચોમાસામાં જોઈએ તેવો વરસાદ થયો નથી તેમજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા ત્રણેય જળાશયોમાં હાલ પીવા માટે તેમજ સિંચાઇ માટે પાણી ન હોવાના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે તેમ જ દિવસેને દિવસે જમીનના તળ પણ ઊંડા જઈ રહ્યા છે જેને લઇને ખેડૂતો હાલ પાણીને લઇને ઉગ્ર રોષમાં જોવા મળી રહ્યા છે.
તાજેતરમાં જ દિયોદર ખાતે ખેડૂતોએ પાણીના મુદ્દાને લઇને આંદોલન છેડ્યું હતું જે બાદ લાંબા સમય સુધી આંદોલન ચાલુ હતું કે સરકાર દ્વારા ખેડૂતોને પાણી મળી રહે તેવી બાંયધરી આપતા ખેડૂતોએ પોતાનું આંદોલન સમેટાયું હતું.
જે બાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે ફરી એકવાર પાણીના મુદ્દાને લઇને આંદોલન યોજાશે આગામી 26 તારીખે 125 ગામના 25 હજારથી વધુ ખેડૂતો પાણીને લઇને મહા રેલી યોજશે. કેમકે 25 વર્ષથી કરમાવાદ તળાવ ભરવાની માંગ હવે ઉગ્ર બની છે. ત્યારે આજે આગામી 26 તારીખે યોજાવા જઈ રહેલી મહારેલીને લઈને આજે 300થી વધુ ખેડૂતોની બેઠક યોજી હતી.

 

જે બાદ ગામડાઓમાં ખેડૂતોએ જળ આંદોલન માટે કળશ પૂજા કરી જળ આંદોલન માટે સંકલ્પ કર્યા હતા 125 ગામના 15 હજારથી વધુ ખેડૂતોએ કળશ પૂજા કરી જ સંકલ્પ કર્યા છે અને 26 તારીખે 25 હજારથી વધુ ખેડૂતો રેલીમાં જોડાય તેવી શક્યતા છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!