અંબાજીની કૈલાશ ટેકરી નજીક જંગલમાં ભીષણ આગ લાગતાં દોડધામ

- Advertisement -
Share

ફાયર-ફાઇટરની ટીમે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા : ઘટનાને પગલે અંબાજી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

 

બનાસકાંઠા જીલ્લામાં અંબાજી કૈલાશ ટેકરી નજીક જંગલ વિસ્તારમાં શુક્રવારે ભીષણ આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી હતી.
ત્યારે સ્થાનિકોએ આ આગની ઘટનાની જાણ ફાયર-ફાઇટર વિભાગને કરતાં અંબાજી ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસો હાથ ધર્યાં હતા.

આ ઘટનાને પગલે અંબાજી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગતાં ધૂમાડાના ગોટેગોટા ઉડયા હતા. જે દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.

ઉનાળાના સમયમાં અનેકવાર આગ લાગવાના બનાવો સામે આવતાં હોય છે. ગાડી અને જંગલ વિસ્તારોમાં મોટાભાગે આગ લાગતી હોવાના બનાવો સામે આવતાં હોય છે.
ત્યારે શુક્રવારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક જંગલ વિસ્તારમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. કૈલાશ ટેકરી નજીક જંગલ વિસ્તારમાં આગ લાગતાં દોડધામ મચી હતી.

ભીષણ આગને પગલે ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. જો કે, સ્થાનિક લોકોએ ઘટનાની જાણ ફાયર-ફાઇટર વિભાગને કરતાં અંબાજી ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી સતત પાણીનો
મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. આ ઘટનાના પગલે ફાયર-ફાઇટર, 108 વાન અને અંબાજી પોલીસ પણ ઘટનાસ્થળ પર દોડી તપાસ હાથ ધરી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!