જીલ્લામાં અનેક ખેડૂતો પોતાના ખર્ચે ગાયો માટે ઘાસ પૂરૂ પાડી રહ્યા છે
ડીસા તાલુકાના જૂનાડીસા ગામમાં આવેલી જી.જી.મહેતા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગૌશાળામાં ગાયો માટે ઘાસચારો પૂરો પાડતાં ખેડૂતોનું સન્માન કરાયું હતું. બનાસકાંઠા જીલ્લામાં એવી અનેક ગૌશાળાઓ છે કે, જ્યાં અસંખ્ય ગાયો નિર્વાહ કરી રહી છે.
ત્યારે તેમને જીવન નિર્વાહ ચલાવવા માટે આજે પણ બનાસકાંઠા જીલ્લામાં એવા અનેક ખેડૂતો છે કે, જેઓ પોતાના ખર્ચે ગાયો માટે ઘાસ પુરૂ પાડી રહ્યા છે.
ઉનાળાના સમયમાં ગાયને સૌથી વધુ ઘાસની જરૂરીયાત હોય છે. જો કે, જીલ્લામાં અસંખ્ય ગાયો હોવાના કારણે તેમનું જીવન નિર્વાહ ચલાવવું ખૂબ જ મુશ્કેલ ભર્યું હોય છે.
પરંતુ આજે પણ બનાસકાંઠા જીલ્લામાં એવા અનેક સેવાભાવી ખેડૂતો છે કે, તેઓ વર્ષોથી ગૌશાળામાં નિર્વાહ કરી રહેલી ગાયો માટે ઘાસચારો પૂરી પાડી રહ્યા છે.
કોરોના કાળ દરમિયાન પણ ખેડૂતોએ ગાયો જીવીત રહે તે માટે ઘાસચારો પૂરો પાડયો હતો. ત્યારે ડીસા તાલુકાના જૂનાડીસા ગામમાં આવેલી જી.જી. મહેતા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં રજનીકાન્તભાઇના હસ્તે ગૌશાળામાં ઘાસચારો પૂરો પાડતાં ખેડૂતો માટે સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જેમાં મોટી સંખ્યામાં ગાયોને ઘાસચારો પુરૂ પાડતાં ખેડૂતો ઉપસ્થિત રહેતાં તમામ ખેડૂતોનું સન્માન કરાયું હતું. જ્યારે જૂનાડીસામાં આવેલી ગૌશાળામાં જે પણ ખેડૂતોએ ઘાસચારો પૂરો પાાડયો હતો એમનું ખાસ સન્માન કરાયું હતું.
આ પ્રસંગે કિશોરભાઇ આસ્નાની, મહેશભાઇ ભણશાળી અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ સહીત મોટી સંખ્યામાં જૂનાડીસા ગામના લોકો ઉપસ્થિત રહી સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
From-Banaskantha update