ડીસામાં એક પરિણીતાને સાસરી પક્ષના લોકોએ શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા ફરિયાદ નોધાઇ

- Advertisement -
Share

ડીસા તાલુકાના સમશેરપુરા ખાતે એક મહિલાને તેના પતિ તેમજ જેઠ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી અભાગણ કહી મારઝુડ કરતા મહિલાએ તેના પતિ અને જેઠ વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓ પર દિનપ્રતિદિન અત્યાચાર વધી રહ્યા છે અને ખાસ કરીને મહિલાઓને તેના સાસરી પક્ષ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માગણી કરી અત્યાચાર આચરવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આજે વધુ એક મહિલા પર અત્યાચાર ની ઘટના સામે આવી છે.

 

આગથળા ગામની દીકરી અનિતાબેન ઠાકોરના લગ્ન આજથી 15 વર્ષ પહેલાં ડીસા તાલુકાના સમશેરપુરા ખાતે રહેતા મુકેશજી સંગ્રામજી ઠાકોરના સાથે સમાજના રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા પરંતુ શરૂઆતમાં તેમના સાસરી પક્ષના લોકો પાંચ વર્ષ સુધી સારી રીતે રાખેલ તે બાદ અનિતાબેન ઠાકોરના પતિ મુકેશજી સંગ્રામજી ઠાકોર અવારનવાર અનિતાબેન ઠાકોરને શારીરિક માનસિક ત્રાસ આપવા લાગેલા અને અનિતાબેનને સંતાનમાં કોઈ પુત્ર ન થતા અનિતાબેનને અભાગણી કઈ મારઝૂડ કરી માં બેન સામે ભૂંડી ગાળો બોલતા તેમજ તેમના કુટુંબી જેઠ ભરતજી પોપટજી ઠાકોર આ બંને જણ ભેગા થઈ અનિતાબેન ઠાકોરને અભાગણી કઈ મારઝૂડ કરતા અને માં બેન સામે ભૂંડી ગાળો બોલતા અને અનિતા બેનને જતી રે તેવું કહેતા.

 

તેમજ અનિતાબેનના પતિ મુકેશ જી સંગ્રામજી ઠાકોર અનિતાબેનને કહેતા કે મારે બીજા લગ્ન કરવા છે તું અહીંથી જતી રહે તારે સંતાનમાં કોઈ પુત્ર થતો નથી તું અભાગણી છે તેવું વારે ઘડીએ કહી મારઝુડ કરતા પરંતુ અનિતાબેન પોતાનું ઘર સંસાર ન બગડે જેથી મૂંગા મોઢે સહન કરતા પરંતુ આજે અનિતાબેન ઠાકોર પોતાના ઘરે ઘરનું કામ કરી રહ્યા હતા તે દરમિયાન તેમના પતિ મુકેશજી સંગ્રામજી ઠાકોર ઘરે આવેલ અને અનિતાબેન સાથે મારઝૂડ કરવા લાગેલ.

 

તેમજ અનિતાબેનના પતિએ અનિતાબેનના કુટુંબી જેઠને ફોન કરી ભરતજી પોપટજી ઠાકોરને બોલાવેલ ત્યારે ભરતજી પોપટજી ઠાકોર પોતાના હાથમાં ધોકો લઈ આવેલ અને આ બંને જણ ભેગા થઈ અનિતાબેન ઠાકોરના વાળ ખેંચી ઘસેડી માં-બેન સામે ભૂંડી ગાળો બોલી ગળું દબાવી મારઝૂડ કરવા લાગેલ ભરતજી પોપટજી ઠાકોરના હાથમાં રહેલ ધોકો અનિતાબેનના માથાના ભાગે મારતા અનિતાબેન ઠાકોરે આડો હાથ કરતા હાથ પર ધોકો મારેલ.

 

જે બાદ અનિતાબેન ઠાકોર તેના પતિ તેમજ કુટુંબી જેઠ સામે આજીજી કરી કગરતા પરંતુ આ બંને જણા ગડદાપાટુનો મારમારતા ગયા જે બાદ અનિતાબેન ઠાકોર બૂમાબુમ કરતા નજીકમાંથી અનિતાબેન ઠાકોરની નણંદ પંકુબેન વચ્ચે પડી છોડાવેલ. જે બાદ આ બંને જણા ત્યાંથી જતા જતા કહેતા ગયા કે આજ પછી ઘરે પાછી આવી તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતા રહેલ.

 

જે બાદ અનિતાબેન તેમના કુટુંબી જેઠના ભાણીયો સંજય ડીસા આવતો હોવાથી અનિતાબેન ઠાકોર ડીસા આવી તેના પિયરના લોકોને જાણ કરતા તેમના પિયરના લોકો આગથળાથી ડીસા આવી અનિતાબેન ઠાકોરને ઇજા થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આજ રોજ અનિતાબેન ઠાકોરે તેના પતિ મુકેશજી સંગ્રામજી ઠાકોર અને તેના કુટુંબની જેઠ ભરતજી પોપટજી ઠાકોર વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!