અંબાજીના જેતવાસમાં આગ લાગતા 4 માસની બાળકી અને વાછરડું બળીને ખાખ

- Advertisement -
Share

અંબાજીના પહાડી વિસ્તારમાં લાગેલી આગે જેતવાસ ગામના એક ઘરને ઝપેટમાં લીધું હતું. જેમાં 4 માસની બાળકી તેમજ એક વાછરડું બળીને ખાખ થઈ ગયું. આ કરુણ ઘટના બનતા પરિવાર પર આભ તૂટી પડ્યું.

બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજીના પહાડી વિસ્તારમાં ઉનાળાના સમયે અનેક વાર આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. અત્યારે અંબાજીના પહાડી વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી પહાડી વિસ્તારમાં આગ લાગેલી છે.

પહાડી વિસ્તારમાં લાગેલી આગ આજે અંબાજીના જેતવાસ ગામ નજીક પોહચી હતી. જેમાં એક ગરીબ પરિવારના ઘરમાં આગ લાગતા એક 4 માસની બાળકી તેમજ વાછરડું પણ આગની ઝપેટમાં આવતા બળીને ભડથું થયું હતું. તેમજ આગમાં ઘર વખરી પણ બળીને ખાખ થઈ ગયું હતું. આ કરુણ ઘટના બનતા ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!