બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉનમાં મળેલી છૂટના પગલે બેફામ ઝડપે દોડતા વાહનોના કારણે માર્ગ અકસ્માતના બનાવો રોજીંદા બની ગયા છે ત્યારે વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતની મળતી વિગતો મુજબ આજે શનિવારે સવારે વડગામ તાલુકાના કોદરામ ગામના ખેડૂત રેવાભાઇ રણછોડભાઈ પ્રજાપતિ (ઉંમર વર્ષ 55 આશરે) પાંડવાના પરા નજીકથી નેશનલ હાઈવે પરથી બાઈક લઈને ડેરીમાં દૂધ ભરાવવા જતા હતા.
ત્યારે ખેરાલુ તરફ જઈ રહેલ i20 કારના ચાલકે તેમના બાઇકને ધડાકાભેર ટક્કર મારતા ગંભીર ઇજાઓને લઈ તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તેવું ગામના પ્રજાપતિ ખેમાભાઈ રણછોડભાઈએ જણાવ્યું હતું.
અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ વડગામ પોલીસને જાણ કરતા દોડી આવેલી પોલીસે મૃતકની લાશને વડગામ પી.એમ અર્થે લાવવામાં આવી હતી. ખેડૂતનું માર્ગ અકસ્માતમાં મોત નિપજતાં પરિવારમાં ઘેરા શોક સાથે સમગ્ર પંથકમાં અરેરાટી છવાઈ હતી. પોલીસે i20ના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
From – Banaskantha Update