થરાદના દૂધશીત કેન્દ્રથી ઢીમા પુલ વચ્ચે નર્મદાની મુખ્ય કેનાલમાં એક આધેડની તરતી લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે.
જ્યારે કેનાલમાં તરતી લાશ જોવા મળતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. તાત્કાલીક થરાદ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં દિન-પ્રતિદિન કેનાલમાંથી મૃતદેહ મળવાનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે.
ત્યારે શુક્રવારે વધુ એક થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ દૂધશિત કેન્દ્રથી ઢીમા પુલ વચ્ચેથી પસાર થતી કેનાલમાં એક આધેડને પાણીના વહેણમાં તરતી લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે.
જ્યારે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને તાત્કાલીક થરાદ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
નગરપાલિકાના તરવૈયાઓના મદદથી અજાણ્યા આધેડની કેનાલમાંથી લાશ બહાર નીકાળવામાં આવી હતી. મૃતકની લાશને સિવિલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડાઇ હતી. આધેડ પુરૂષ ક્યાંનો છે તે કોણ છે તેની થરાદ પોલીસ તપાસ ચલાવી રહી છે.
From-Banaskantha update