સજન પ્રકાશ બાદ ભારતીય સ્વિમર શ્રીહરિ નટરાજે પણ ટોકિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે. શ્રીહરિ નટરાજે રોમમાં યોજાયેલી સૅટ્ટે કૉલી સ્વિમિંગ ટ્રોફીની 100 મીટર બેકસ્ટ્રોકની ઈવેન્ટમાં 53.77 સેકન્ડનો સમય આપ્યો હતો. જેને સ્વિમિંગની સર્વોચ્ચ સંસ્થા ફિનાએ માન્યતા આપતાં શ્રીહરિએ ટોકિયો ગેમ્સમાં પ્રવેશ મેળવી લીધો છે.
[google_ad]
સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ટવીટર પર આ અંગેની જાહેરાત કરી હતી. નટરાજે રવિવારે ટોકિયો ઓલિમ્પિક માટેના ‘એ’ ક્વોલિફાઈંગ માર્ક માટે જરુરી 53.85 સેકન્ડના સમયની સામે 53.77 સેકન્ડનો સમય આપ્યો હતો. જોકે, આ ટાઈમિંગ તેણે કોઈ સ્પર્ધામાં નહીં પણ ઓલિમ્પિક માટેની ટાઈમ ટ્રાયલ્સ દરમિયાન આપ્યો હતો, જેના કારણે ફિના તેને માન્યતા આપે તો જ તેને ટોકિયો ગેમ્સમાં પ્રવેશ મળે તેમ હતુ. ફિનાએ તેના રેકોર્ડને માન્ય રાખ્યો છે.
[google_ad]
અગાઉ સજન પ્રકાશે 200 મીટર બટરફ્લાયમાં ઓલિમ્પિક ક્વોલિફાઈંગનો એ માર્ક હાંસલ કરતાં ટોકિયો ગેમ્સમાં પ્રવેશ મેળવ્યો હતો. આ સાથે તે ભારતનો એવો સૌપ્રથમ સ્વિમર બન્યો હતો, કે જેણે ઓલિમ્પિક એ માર્ક હાંસલ કરતાં ઓલિમ્પિકમાં ક્વોલિફાય કર્યું હોય.
From – Banaskantha Update