થરાદના મલુપુરમાં જાનૈયાની કાર પલ્ટી ખાતાં એક યુવકનું મોત

- Advertisement -
Share

 

થરાદ-ડીસા હાઇવે પર ગુરૂવારે વહેલી સવારે જાનૈયાની કારને અકસ્માત સર્જાતાં વરરાજાના પિતરાઇ કાકાનું મોત નિપજ્યું હતું. 4 વ્યક્તિઓને ઇજાઓ થઇ હતી.

 

 

પી.આઇ.એ ઘટના અંગે પોલીસ દફતરે નોંધ નહી હોવાનું જણાવ્યું હતું. થરાદના મોરીલા ગામેથી થરાદના ઇઢાટામાં પરણવા માટે વરરાજાની જાન થરાદ તરફ આવી રહી હતી.

 

તે દરમિયાન થરાદ-ડીસા હાઇવે પર મલુપુરની સીમમાં ભારત ગેસના ગોડાઉન નજીક એક અલ્ટો કાર ચાલકે કાબુ ગુમાવતાં કાર રોંગ સાઇડમાં ફંગોળાઇને બાવળોની ઝાડીમાં પલ્ટી ખાઇ ગઇ હતી.

 

આથી વરરાજાના કુટુંબી કાકા કેશાભાઇ માધાજી બ્રાહ્મણ (બાકળીયા) (ઉં.વ.આ.42, રહે.ભલાસરા,તા.થરાદ) નું સારવાર અર્થે ખસેડાતાં કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે કાર ચાલક ઇશ્વરભાઇ સહીત 4 વ્યક્તિઓને ઓછાવત્તી ઇજાઓ થતાં તમામને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

ઇજાગ્રસ્તો નામ
(1) મુકેશભાઇ માવજીભાઇ બ્રાહ્મણ (બાકળીયા) (ઉં.વ.18,રહે.ભલાસરા)
(2) નરેશભાઇ ઓજેરામભાઇ બ્રાહ્મણ (બાકળીયા) (ઉં.વ. 38,રહે.ભલાસરા)
(3) રમેશભાઇ ગંગારામભાઇ બ્રાહ્મણ (બાકળીયા) (ઉં.વ. 28,રહે.મોરીલા,તા.થરાદ)
(4) ઇશ્વરભાઇ કાશીરામભાઇ બ્રાહ્મણ (બાકળીયા) (ઉં.વ. 26,રહે.નાનોલ)

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!