ડીસાના વિવાદાસ્પદ નાનાજી દેશમુખ ગાર્ડનમાં ભારી આગ લાગી : લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા

- Advertisement -
Share

ડીસા હવાઈ પીલ્લર મેદાન પાસે 2 કરોડના ખર્ચે બનાવેલા નાનાજી દેશમુખ ગાર્ડનમાં અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ફાયર ફાઇટરને જાણ કરાતા ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલ હવાઈ પીલર મેદાન ખાતે 2 કરોડના ખર્ચે બનાવેલ નાનાજી દેશમુખ ગાર્ડન જ્યારથી બનાવ્યો ત્યારેથી વિવાદમાં રહ્યો છે.

છેલ્લા ત્રણ વર્ષથી નાનાજી દેશમુખ ગાર્ડન બંધ હાલતમાં હતો અને આજરોજ નાનાજી દેશમુખ ગાર્ડનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

નાનાજી દેશમુખ ગાર્ડનમાં આગ લાગતાં ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ફાયર ફાઈટરને જાણ કરાતા ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. પરંતુ હવાઈ પીલ્લર મેદાન ખાતે બનાવેલ 2 કરોડના ખર્ચે નાનાજી દેશમુખ ગાર્ડનમાં કયા કારણોસર આગ લાગી છે તે હજુ અકબંધ છે.

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!