પાલનપુરના જગાણા નજીક કતલખાને લઇ જવાતાં 46 આખલા બચાવાયા

- Advertisement -
Share

પાલનપુર તાલુકાના જગાણા નજીકથી જીવદયા પ્રેમીઓએ કતલખાને લઇ જવાતા 46 આખલા ભરેલું કન્ટેનર ઝડપી લીધુ હતુ. જોકે, તેનો ચાલક અને ક્લીનર ફરાર થઇ ગયા હતા. જેમની સામે ગૂનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

 

પાલનપુરના જીવદયા પ્રેમી કલ્પેશકુમાર પ્રભુલાલ ઠક્કર ઉપર જીવદયાપ્રેમી રોનકભાઇ ઠક્કરનો ફોન આવતાં ભાવેશકુમાર ઉર્ફે મુનાભાઇ સોમભાઇ ઠક્કર, કેતનભાઇ કિશોરભાઇ લીંબાચીયાએ જગાણા નજીક વોચ ગોઠવી હતી.

જ્યાં આવેલા કન્ટેનર નં. RJ-52-GA-1716ને ઉભુ રખાવી તલાસી લેતાં અંદર ખીચોખીચ હાલતમાં અને ઘાસચારા – પાણીની વ્યવસ્થા કર્યા વિના કૃરતાપૂર્વક ભરેલા 46 આખલા મળી આવ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે, પોલીસ આવે તે પહેલા કન્ટેનરના ચાલક- ક્લીનર નાસી ગયા હતા. આ અંગે કલ્પેશકુમારે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!