થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગુરૂવારે એક અજાણ્યા યુવકની કેનાલમાં તરતી લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
જયારે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. યુવકના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં દિન-પ્રતિદિન કેનાલમાંથી મૃતદેહ મળવાના સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે.
ત્યારે ગુરૂવારે વધુ એક કેનાલમાંથી એક અજાણ્યા યુવકની કેનાલમાં તરતી લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. જ્યારે થરાદના જમડા પુલ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
તાત્કાલીક સ્થાનિક લોકોએ થરાદ પોલીસને જાણ કરતાં થરાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહને બહાર નીકાળવામાં આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં અજાણ્યા યુવકના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update