બનાસકાંઠાના દાંતા ધારાસભ્ય કાન્તીભાઇ ખરાડીએ વિધાનસભામાં કેદારનાથ જાસોર અભ્યારણને રાજસ્થાન માઉન્ટ આબુની જેમ યાત્રાધામ કે પ્રવાસન સ્થળ બનાવવા રજૂઆત કરી છે.
ગુજરાતમાંથી મોટી સંખ્યામાં રાજસ્થાન માઉન્ટ આબુ લોકો પ્રવાસનમાં જતાં હોય છે. જેને લઇ ધારાસભ્ય કાન્તીભાઇ ખરાડીએ રજૂઆત કરી છે.
બનાસકાંઠા જીલ્લાનું જાસોર અભ્યારણ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢથી 8 કિલોમીટર દૂર આવેલું છે. જાસોર અભ્યારણ અરવલ્લીની ગિરીમાળામાં એક કેદારનાથ મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે.
જેમાં મોટી સંખ્યામાં લોકો જાસોર અભ્યારણ અને કેદારનાથ મહાદેવના દર્શનાર્થ આવતાં હોય છે. જેને લઇ દાંતા ધારાસભ્ય કાન્તીભાઇ ખરાડીએ વિધાનસભામાં રજૂઆત કરી હતી.
જેમાં રાજસ્થાન માઉન્ટ આબુમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસમાં જતી હોય છે. એવી જ રીતે અમીરગઢ તાલુકાના જાસોર અભ્યારણ કેદારનાથને યાત્રાધામ કે પ્રવાસન સ્થળ બનાવવા માંગ કરી છે.
From-Banaskantha update