બનાસકાંઠા જીલ્લાના દિયોદરમાં આવેલ વખા સબ સ્ટેશનમાં સોમવારે છઠ્ઠા દિવસે પણ ખેડૂતોનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે. ખેડૂતોએ રવિવારે મોડી રાત્રે ધરણાં સ્થળ પર રમેલ યોજી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો ઘણા સમયથી અપૂરતી વીજળીને લઇને પરેશાન થઇ ઉઠયા છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના દિયોદરમાં આવેલા વખા સબ સ્ટેશન પર છેલ્લા 6 દિવસથી ધરણાં યથાવત જોવા મળી રહ્યા છે.
ખેડૂતોની 8 કલાક વીજળી આપવાની માંગને લઇને ખેડૂતો છેલ્લા 6 દિવસથી ધરણાં પર ઉતર્યાં છે પરંતુ સરકાર દ્વારા કોઇ જ નિર્ણય ન લેવાતાં આખરે ખેડૂતોમાં ભારે આક્રોશ ભભૂક્યો છે.
અને ખેડૂતો દ્વારા અલગ-અલગ સરકાર સામે અનોખો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે રવિવારે મોડી રાત્રે ખેડૂતો દ્વારા રમેલ યોજાઇ હતી. આ રમેલમાં હાજર રહેલા લોકોએ ધૂણીને 8 કલાકની વીજળીની માંગ કરી હતી.
છેલ્લા 6 દિવસથી દિયોદરના ખેડૂતો સરકારને જગાડવા માટે અલગ-અલગ કાર્યક્રમો આપી રહ્યા છે અને સરકાર દ્વારા કોઇ જ નિર્ણય લેતાં આખરે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
From-Banaskantha update