પાલનપુરમાં પ્રેમલગ્નની અદાવતમાં સાળાએ મિત્રો સાથે મળી બનેવી તેના ભાઇઓ પર હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

 

પાલનપુર હનુમાન ટેકરી નવજીવન સોસાયટીમાં પ્રેમ લગ્ન કરનારા સરીપડાનો યુવક પોતાના પુત્રને સાસુ પાસે મૂકવા આવ્યો હતો.

 

ત્યારે તેના સાળાએ મિત્રો સાથે બાઇક ઉપર પીછો કરી સાળા સાથે આવેલા તેના ભાઇઓ ઉપર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે સાળાએ પોતાના બનેવી સહીત 4 શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકાના સરીપડાના સુનિલકુમાર વરસંગજી ઠાકોરે 12 માસ અગાઉ પાલનપુર હનુમાન ટેકરી નવજીવન સોસાયટીમાં રહેતાં ચમનજી પરથીજી વાઘેલાની પુત્રી આરતીબેન સાથે પ્રેમલગ્ન કર્યાં હતા.

 

જેમને સંતાનમાં એક પુત્ર છે. તે દરમિયાન તેમના પુત્રને રસી મૂકાવી સુનિલકુમાર, તેમના બનેવી ચેહુજી વનરાજજી ઠાકોર, મામાનો દીકરો અંકીત જકશીભાઇ ઠાકોર, મનિષકુમાર શંકરભાઇ ઠાકોર, ટીનાબેન ચેહુજી ઠાકોર અને અંકીતાબેન રાકેશજી ઠાકોર ભાડાની રીક્ષામાં બેસી નવજીવન સોસાયટી આવ્યા હતા. જ્યાં પુત્રને સાસુને સોંપી પરત જઇ રહ્યા હતા.

 

ત્યારે તેમનો સાળો સાગરભાઇ ચમનજી ઠાકોર અને અન્ય 3 શખ્સોએ બાઇકથી તેમનો પીછો કરી સધી માતાજીના મંદિર નજીક પાઇપથી રીક્ષાના કાચ તોડી નાખ્યા હતા.

 

જ્યાં કોઇ શખ્સે અંકીતના માથામાં પાઇપ મારી હતી. જ્યારે મનિષભાઇને બાવરી ડેરામાં લઇ જઇ અમે કહીએ તેમ ફરિયાદ લખાવ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

 

આ અંગે સુનિલકુમારે પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!