દિયોદરના લુદરા નર્મદા કેનાલમાંથી નાથપુરા ગામના આધેડની લાશ મળી આવી

- Advertisement -
Share

દિયોદર તાલુકાના લુદરા નર્મદા કેનાલમાં મંગળ‌વારે સવારે કોઇ અજાણ્યા આધેડની લાશ તરતી દેખાતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તરવૈયાની મદદથી લાશને બહાર કાઢી હતી.મૃતક કાંકરેજ તાલુકાના નાથપુરા ગામના હોવાનું ખૂલ્યું હતું.

 

લુદરા નર્મદા કેનાલમાં મંગળવાર સવારે કોઈ અજાણ્યા આધેડની લાશ તરતી હોવાનું સ્થાનિક લોકોને જાણ થતાં સ્થાનિક લોકોએ દિયોદર પોલીસને જાણ કરી હતી. જેમાં દિયોદર પીએસઆઇ એચ.પી.દેસાઇ, દિયોદર મામલતદાર બી.આર.પટેલ ઘટના સ્થળે પહોંચી તરવૈયાની મદદ લઇ મૃતકની લાશને બહાર નીકાળવામાં આવી હતી.

 

જેમાં દિયોદર પોલીસે તપાસ કરતા મૃતક આધેડ કાંકરેજ તાલુકાના નાથપુરા ગામના ભુદરજી મેરુજી ઠાકોર હોવાનું જાણવા મળતા પરિવારજનો પણ કેનાલ પર દોડી આવ્યા હતા. જેમાં લાશને પીએમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જે અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અગમ્ય કારણસર કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!