દાંતીવાડાના આરખી ગામ નજીક મંગળવારે વહેલી સવારે અજાણ્યા વાહનની ટક્કરે એક કાર પલટી ગઇ હતી. જેમાં સવાર માતાનું મોત નિપજ્યું હતુ. જ્યારે તેના પુત્ર અને પતિને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.
મુંબઇથી પૌત્રના ઢુંઢ પ્રસંગમાં જતી વખતે તેમને અકસ્માત નડ્યો હતો. મુંબઇ ખાતે બીલ્ડીંગ મટીરીયલનો વેપાર કરતાં પૃથ્વીપરાજ રામદાનજી ચારણ (ઉ.વ.55) તેમની પત્ની પારસકુંવર અને પુત્ર વિક્રમસિંહ સાથે પોતાની કાર નં. RJ-24-CA-5361માં રાજસ્થાન તેમના વતનમાં પૌત્રની ઢુંઢ પ્રસંગે જઇ રહ્યા હતા.
ત્યારે દાંતીવાડાના આરખી ગામ નજીક વહેલી સવારે 4 કલાકે સામેથી રોંગ સાઇડે આવેલા અજાણ્યા વાહન ચાલકે કારને ટક્કર મારી હતી. કાર ફંગોળાઇને નજીકના ખેતરમાં પલટી ગઇ હતી. જેમાં પારસકુંવરને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતુ. જ્યારે કાર ચલાવી રહેલા તેમના પુત્ર વિક્રમસિંહ અને પૃથ્વીપરાજસિંહને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડયા હતા. પૃથ્વીપરાજસિંહે ફરિયાદ નોંધાવી હતી.
From – Banaskantha Update