બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના સુથાર નેસડી ગામ નજીકથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડતાં કેનાલની આજુબાજુના ખેતરોમાં ઉભા પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થવા પામ્યો છે.
બનાસકાંઠા જીલ્લામાં સરહદી વિસ્તારમાં નર્મદાની કેનાલમાં ગાબડા પડવાનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સોમવારે વધુ એક માઇનોર કેનાલમાં ગાબડું પડયું હોવાનું સામે આવ્યું છે.
ભાભર તાલુકાના સુથાર નેસડી ગામ નજીકથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં સોમવારે વહેલી સવારે 15 ફૂટનું ગાબડું પડતાં આજુબાજુના ખેતરોના ઉભા પાકમાં પાણી ફરી વળ્યું હતું અને ખેતરો બેટમાં ફેરવાઇ ગયા હતા.
કેનાલનું પાણી ખેતરમાં ફરી વળતાં ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થવા પામ્યો હતો. વારંવાર કેનાલમાં ગાબડું પડવાના બનાવો સામે આવતાં ખેડૂતોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ‘હલકી ગુણવત્તાના કામને કારણે વારંવાર કેનાલમાં ગાબડા પડી રહ્યા છે. જેથી તાત્કાલીક ધોરણે જે કોન્ટ્રાક્ટરો છે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.’
From-Banaskantha update