ધાનેરામાં રિક્ષા અને જીપ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત, ત્રણ ઘાયલ

- Advertisement -
Share

ધાનેરાના ખિમત નજીક આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં રિક્ષામાં સવાર ચાર લોકોને ગંભીર ઇજા થઇ હતી જેમાં એકનું ઘટના સ્થળે મોત નિપજયું હતું તેમજ ત્રણ લોકોને ઇજા થતા સારવાર માટે ધાનેરા રેફલર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળે છે. આજે વહેલી સવારે ધાનેરાના ખીમત નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની વિગત જોઈએ તો ધાનેરાના ખીમત નજીક આજે રીક્ષા અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

 

અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા ચાર લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું તેમજ અન્ય ત્રણને ઇજા થઇ હતી અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક 108ની ટીમને જાણ કરતા 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઘાયલોને સારવાર માટે ધાનેરાના રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!