પાલનપુર આબુ હાઇવે ઉપર ઇકબાલગઢ નજીક જીવદયાપ્રેમીઓએ શનિવારે મોડી રાત્રે ટ્રકમાં કતલખાને લઇ જવાતાં 14 પશુઓને બચાવ્યા હતા.
આ અંગે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે મહેસાણાના મંડાલી અને ગાંધીનગરના પેથાપુરના 2 શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકાના લક્ષ્મીપુરામાં રહેતાં મૂળ થરાદ તાલુકાના જામપુરાના સંજયભાઇ હરખાભાઇ પ્રજાપતિ અને તેમના મિત્ર નરસિંહભાઇ હરિભાઇ ઘોઘોળ, ભાવેશભાઇ દેસાઇ સહીત જીવદયાપ્રેમીઓએ
આઇશર ટ્રક નં. GJ-18-AZ-6414 ને પાલનપુર આબુ હાઇવે ઉપર ઇકબાલગઢ નજીક ઉભી રખાવી તલાશી લેતાં અંદર ખીચોખીચ હાલતમાં અને ઘાસચારાની વ્યવસ્થા કર્યાં વિના કતલખાને લઇ જવાતાં 14 પશુઓ હતા.
આ અંગે સંજયભાઇએ અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે મહેસાણા તાલુકાના મંડાલીના સંજાક હુસેન ઇકબાલ હુસેન શેખ અને ગાંધીનગરના પેથાપુરના હસનેન રફીકભાઇ પાલારીની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update