એ.સી.બી. ની સફળ ટ્રેપથી બાંધકામ માટે NOCના નામે 50 હજાર લાંચ લેતો તલાટી ઝડપાયો

- Advertisement -
Share

વાપીના વટાર ગ્રામ પંચાયતનો તલાટી કમ મંત્રીએ કંપનીના બાંધકામ માટે એનઓસી આપવા 50 હજારની લાંચ લેતા ઝડપાયો. એસીબીના પીઆઇ ડી.એમ.વસાવાને એક નાગરિકે ફરિયાદ કરી હતી કે, પરિચિતની કંપનીના બાંધકામ માટે એનઓસી મેળવવા વાપીના વટાર પંચાયતમાં અરજી કરી હતી. જે માટે તલાટી કમ મંત્રી કેવલ મિનેષકુમાર શાહને મળતા એનઓસી મેળવવા વ્યવહારમાં રૂ.50,000ની માંગણી કરાઇ હતી.

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરતા તેના આધારે શનિવારે લાંચના છટકાનું આયોજન કરતા આરોપી તલાટી કેવલ શાહ વલસાડ ઓવરબ્રીજ પાસે આવેલ સાંઇલીલા મોલ આગળ ફરિયાદી પાસેથી રૂ.50,000 લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાયો હતો. આરોપીને ડિટેઇન કરી એસીબી વલસાડ અને ડાંગના પીઆઇ ડી.એમ.વસાવા અને પીએસઆઇ કે.આર.સક્સેનાએ કાર્યવાહી હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!