1165 ગામોના ગૌચરના દબાણ દૂર કરી ભૂ-માફીયાઓને પાસા હેઠળ ધકેલો
બનાસકાંઠા જીલ્લામાં 1165 ગામોમાં ગૌચર ઉપર ઘણા સમયથી દબાણ કરવામાં આવ્યું છે. જેને લઇ રાષ્ટ્રીય લોક અધિકાર મંચ દ્વારા ગૌચર ખાલી કરાવવા માંગ કરી છે.
જો ગૌચર ખાલી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રાષ્ટ્રીય લોક અધિકાર મંચ કોર્ટના દ્વાર ખખડાવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
રાષ્ટ્રીય લોક અધિકાર મંચ દ્વારા જીલ્લા કલેકટરને તા. 1 લી ઓક્ટોબરના દિવસે આવેદનપત્ર પાઠવી બુધવારે જણાવ્યું હતું કે, ‘બનાસકાંઠા જીલ્લાના 14 તાલુકાના 1165 ગામોમાં ભૂ-માફીયાઓ દ્વારા
ગેરકાયદેસર રીતે ગૌચર ઉપર દબાણ કરવામાં આવ્યું છે. જીલ્લા વિકાસ અધિકારીની સત્તા હોવા છતાં અનેક રજૂઆતોને છૂપાઇ રહ્યા છે અને ગ્રામ પંચાયતના સભ્ય સહીત સરપંચોને છાવરી રહ્યા છે.
જેથી અમે કલેકટરને અગાઉ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, જીલ્લામાં સરકારી પડતર અને ગૌચર જમીન ઉપર દબાણનું સર્વે કરી તાત્કાલીક દૂર કરવામાં આવે, દબાણ બાબતે ગુજરાત પંચાયત
ધારા અને નામદાર હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના ચૂકાદાનું અમલ કરવા અધિકારીઓને સુચના આપવામાં આવે, જમીન પચાવી પાડવાના પ્રતિબંધના નિયમ અનુસાર કડક કાર્યવાહી કરવી, વારંવાર ગ્રામ
પંચાયતને આર્થિક નુકશાન પહોંચાડનાર દબાણનારોને પાસા ધારા હેઠળ કાર્યવાહી કરવી, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતના કર્મચારીઓને કયા ગામમાં કયું દબાણ સ્પષ્ટ છે.
તેની હાઇકોર્ટના જજમેન્ટ અનુસાર કાર્યવાહી કરાવવાની માંગ સાથે રાષ્ટ્રીય લોક અધિકાર મંચ રજૂઆત કરી હતી અને જો આગામી દિવસોમાં ગૌચર પણ દબાણ થયેલ ઉપર કોઇ પણ કાર્યવાહી કરવામાં નહીં
આવે તો પ્રશાસન વિરુદ્ધ કોર્ટમાં કાર્યવાહી કરીશું તેવી દ્રષ્ટિ લોક અધિકાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ ચૌહાણે ચિમકી ઉચ્ચારી હતી.’
From-Banaskantha update