કાણોદર ગામની મહિલાને સાસરિયાં પક્ષ દ્વારા મહિલાને અવારનવાર માનસિક ત્રાસ આપતા મહિલાએ આપઘાત કરતા મહિલાના પિતાએ જમાઈ, સાસુ, અને બે નણંદ સામે દુસ્પ્રેરણનો ગુનો નોંધાવ્યો હતો. જેમના કોર્ટે આગોતરા જામીન નામંજૂર કર્યા હતા.
પાલનપુર તાલુકાના કાણોદર ગામની જાગૃતિબેનના પાલનપુર સોનબાગ વિસ્તારમાં આઠ વર્ષ પહેલાં સમાજના રીત રિવાજ લગ્ન કરાયા હતા. જાગૃતિબેન ડીસા સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકેની ફરજ બજાવતા હતા. જોકે, તેમના પતિ અન્ય યુવતી સાથેના સબંધોને લઇ અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા.
તેમના સાસુ-સસરાના પણ ત્રાસથી જાગૃતિબેને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે મહિલાના પિતાએ જમાઈ નિકેશકુમાર જેઠાભાઈ સેભરા, સાસુ મણીબેન જેઠાભાઇ સેભરા, નણંદ નિતાબેન જેઠાભાઇ અને વર્ષાબેન જેઠાભાઇ સામે દુષ્પેરણનો ગુનો નોંધાવ્યો હતો. જેમના આગોતરા જામીન કોર્ટે નામંજૂર કર્યા હતા.
From – Banaskantha Update