ડીસાના નવજીવન સોસાયટીમાં દબાણ દૂર કરવા માટે સ્થાનિક લોકોએ હંગામો મચાવ્યો હતો. ડીસા નગરમાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે.
ત્યારથી શહેરના અનેક વિકાસના કામો થયા છે પરંતુ વિકાસના કામોની સાથો સાથ આજે પણ લોકો અનેક બાબતોને લઇ હંગામો મચાવી રહ્યા છે.
ડીસા નગરપાલિકા દ્વારા હાલમાં લાખો રૂપિયાના ખર્ચે ડીસા શહેરમાં નવા રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. જેના કારણે ક્યાંકને ક્યાંક સોસાયટીઓમાં ગેરકાયદેસર દબાણ હોવાના કારણે નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની પ્રક્રીયા હાથ ધરાઇ છે પરંતુ દબાણ દૂર કરવા બાબતે હાલમાં અનેક જગ્યાઓએ હંગામો થઇ રહ્યા છે.
ડીસાની નવજીવન સોસાયટીમાં શુક્રવારે નવા રોડનું કામકાજ શરૂ કરાયું હતું. જે અંતર્ગત નગરપાલિકા દ્વારા શરૂઆતમાં 4-5 મકાનોના દબાણ દૂર કરાયા હતા.
પરંતુ આ વિસ્તારમાં ક્યાંકને ક્યાંક નગરપાલિકા દ્વારા અમૂક મકાનોના દબાણ દૂર ન કરવામાં આવતાં સ્થાનિક લોકોએ હંગામો મચાવ્યો હતો.
જે બાદ સ્થાનિક લોકો ડીસા નગરપાલિકા પહોંચી તમામ લોકોનું દબાણ દૂર કરવામાં આવે તેવી ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરને રજૂઆત કરી હતી. ત્યારબાદ નગરપાલિકા પ્રમુખ નવજીવન સોસાયટીમાં દોડી આવ્યા હતા.
ડીસા નગરપાલિકા પ્રમુખે તમામ દબાણ સ્થગિત રાખી આગામી સમયમાં યોગ્ય નિર્ણય લઇ નગરપાલિકા દ્વારા રોડનું કામકાજ શરૂ કરવામાં આવશે તેવું જણાવતાં સ્થાનિક લોકો શાંત પડયા હતા.
From-Banaskantha update