પાલનપુરમાં મહીલા અને બાળ વિકાસ મંત્રીના અધ્યક્ષસ્થાને કુપોષણ નાબૂદી અંગે સમીક્ષા બેઠક યોજાઇ : કુપોષણ નિવારવા અંગે જરૂરી સુચનાઓ અપાઇ

Share

પાલનપુરમાં કુપોષણ નાબૂદી અંગે કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. મહીલા અને બાળ વિકાસ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજય મંત્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને કુપોષણ નાબૂદી અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં બનાસકાંઠા જીલ્લાની કુપોષિણની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રી મનીષાબેન વકીલે અધિકારીઓ અને તબીબો જોડે આ અંગે વિસ્તૃત ચર્ચા કરી કુપોષણ નિવારવા કેવા પગલાં લઇ શકાય તે અંગે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.

[google_ad]

રાજ્યને કુપોષણમાંથી બહાર લાવવા શનિવારે બનાસકાંઠા જીલ્લામાં બેઠક યોજી શરૂઆત કરવામાં આવી છે. ત્યારે રાજ્ય મંત્રી મનીષાબેને જણાવ્યું હતું કે, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ સહીતના વિભાગો એકબીજાના સંકલનમાં રહી કુપોષણ મુક્ત ગુજરાતના નિર્માણ માટે દિલથી પ્રયાસો કરે તે જરૂરી છે. એક સમયે ટી. બી. નો રોગ ખુબ જ ભયંકર રોગ ગણાતો હતો, પરંતું આરોગ્ય વિભાગની મહેનતના લીધે આજે ટી.બી. ના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેવી જ રીતે આરોગ્ય વિભાગના સંપૂર્ણ યોગદાનથી કુપોષણને પણ નાથી શકાશે.

[google_ad]

મંત્રીએ મહીલા અને બાળ વિભાગની મહિલા સ્વાવલંબન યોજના, વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ, 181 અભયમ હેલ્પલાઇન, નારી સંરક્ષણ કેન્દ્ર અને ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના સહીતની વિવિધ મહીલા કલ્યાણની યોજનાના બોર્ડ લગાવી મહત્તમ પ્રચાર- પ્રસાર કરવા પણ જણાવ્યું હતું.

[google_ad]

આ અંગે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, જીલ્લાને કુપોષણ મુક્ત બનાવવા માઇક્રો પ્લાનીંગ કરવામાં આવ્યું છે. જેમાં આંગણવાડી કાર્યકરો દ્વારા કુપોષિત બાળકો અને કિશોરીઓની નિયમિત રૂબરૂ મુલાકાત લઈ અમૂલ સ્પ્રે પાવડર અને અમૂલ પ્રો પ્રોટીન પાવડર લાભાર્થીઓને પીવડાવવા તથા સઘન દેખરેખ સહીતની વ્યવસ્થા ગોઠવાશે. નિયમન અને દેખરેખ માટે જીલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષા સુધી નોડલ અધિકારીઓની પણ નિમણુંક કરવામાં આવી છે.

[google_ad]

મંત્રીના હસ્તે લાભાર્થીઓને વ્હાલી દિકરી યોજનાના મંજૂરી આદેશ અને દિકરી વધામણીની બેબી કીટ તથા ટેક હોમ રાશનના લાભાર્થી સગર્ભા બહેનોને પૌષ્ટિળક આહારની કીટ આપવામાં આવી હતી. ત્યારબાદ મહીલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલે પાલનપુર તાલુકાના બાદરપુરા ખાતે આવેલા ટેક હોમ રાશન પ્લાનન્ટની મુલાકાત લઇ બાળકો અને સગર્ભા માતાઓ માટે બનાવવામાં આવતી વાનગીઓનું નિરીક્ષણ કર્યું હતું.

 

From – Banaskantha Update


Share