બનાસકાંઠાના વડગામ તાલુકાના છનિયાણા ગામનો જવાન બુધવારે પંજાબના પઠાણકોટમાં શહીદ થતાં પાર્થિવ દેહ આજે સાંજે માદરે વતન લવાશે. છનિયાણાના રમેશભાઈ ચેલાભાઈ રબારીમાં ભોમની રક્ષા કાજે સેનામાં જોડાયા હતા.
જવાને બેંગ્લોર ટ્રેનિંગ પૂર્ણ કરી પ્રથમ પોસ્ટિંગ પંજાબના પઠાણકોટ ખાતે ફરજ પર જોડાયા હતા. જોકે, જવાન થોડા દિવસ પહેલા વતન છનિયાણા આવ્યો હતો અને પાંચ દિવસ અગાઉ જ જવાન પોતાની પોસ્ટિંગ ફરજ પંજાબના પઠાણકોટ ખાતે પહોંચ્યો હતો અને બુધવારે જવાન શહીદ થયો હતો.
જોકે, આ બાબતે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, છનિયાણા ગામનો યુવાન શહીદ થયો છે જે આજે ગુરુવારે સાંજે જવાનના પાર્થિવ દેહને પોતાના માદરે વતન લવાશે અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમક્રિયા કરાશે.
છનિયાણાના રમેશભાઇ રબારી ચાલુ મહિનામાં રજા પર આવ્યા હતા અને 16મીએ ગામમાં ચેહર માંની રમેલ કરાઈ હતી અને 19મીએ જવાન પોતાની ફરજ પર ગયો હતો અને ત્યાં શહીદ થયો હતો.
From – Banaskantha Update