રાધનપુરમાં ટ્રક અને એક્ટીવા વચ્ચે ગુરૂવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટીવા ચાલક શિક્ષિકાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.
રાધનપુરથી કમાલપુર પ્રાથમિક શાળામાં નોકરી પર જઇ રહેલા શિક્ષિકાનું મોત નિપજતાં પરિવાર, કમાલપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં માતમ છવાયો છે.
આ અંગેની વિગત એવી છે કે, રાધનપુરથી ગુરૂવારે એક્ટીવા લઇ કમાલપુર પ્રાથમિક શાળા નોકરી પર જઇ રહેલા શિક્ષિકા ભાવનાબેનને રાધનપુરમાં શાંતિધામ નજીક અકસ્માત નડયો હતો.
કાળ બનીને આવેલા ટ્રકે ભાવનાબેનની એક્ટીવાને ટક્કર મારતાં ભાવનાબેન હાઇવે પર પટકાયા હતા. જેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
જ્યારે સ્થાનિક લોકોએ અકસ્માતની પોલીસને જાણ કરતાં રાધનપુર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી મૃતક ભાવનાબેનની લાશને પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update