વાવની કેનાલમાં પાણી છોડવામાં ન આવતાં ખેડૂતોએ કેનાલમાં ભજન ગાઇ અનોખો વિરોધ દર્શાવ્યો : જૂઓ વાયરલ વિડીયો

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તારમાં વાવની કેનાલમાં પાણી ન આવતાં ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ સૂકી કેનાલમાં રાત્રે ભજનો ગાઇ અનોખી રીતે વિરોધ કરી રહ્યા છે.

 

 

જેનો વિડીયો પણ સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. ખેડૂતોએ સરકારને પાણી આપવા આડ કતરો સંદેશ આપ્યો હતો. પાણીની રાહ જોતાં ખેડૂતો અંતે ભજન ગાઇ સરકારને પાણી આપવાની માંગ કરી રહ્યા છે.

 

 

બનાસકાંઠામાં સિંચાઇના પાણીને લઇ ખેડૂતો બૂમરાડ કરી રહ્યા છે. શિયાળુ સિઝનને લઇ પાકોને પાણીની જરૂરીયાત છે. ત્યારે સરહદી વિસ્તારમાં વાવની કેનાલોમાં પાણી છોડવામાં ન આવતાં ખેડૂતો સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે.

 

 

સરહદી વિસ્તારમાં નર્મદા કેનાલ થકી ખેડૂતોને પાણી આપવામાં આવે છે. જેનાથી ખેડૂતો વાવણી કરી રહ્યા છે. પરંતુ કેનાલોમાં પૂરતું પાણી છોડવામાં ન આવતાં ખેડૂતોના પાકો બળી રહ્યા છે.

 

 

શિયાળુ સિઝનના પાકો તૈયાર થઇ ગયા છે. ત્યારે હાલમાં કેનાલોમાં પાણી ન છોડાતાં ખેડૂતો પાણી માટે વલખાં મારી રહ્યા છે.

 

 

જીલ્લાના સરહદી વિસ્તારમાં વાવના ખેડૂતોએ રાત્રિ દરમિયાન કેનાલમાં બેસી ભજન ગાઇ પાણીની માંગ સાથે સરકાર સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સરકાર દ્વારા કેનાલોમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!