ગુજરાતી ભોજન એ ભારતના સૌથી જૂના રાંધણ ખજાનામાંનું એક છે અને અહીં અમે તમારા માટે ઘરે તૈયાર કરવા માટે તેની 15 શ્રેષ્ઠ વાનગીઓ લાવ્યા છીએ.
ગુજરાતી ભોજન એ ભારતના સૌથી જૂના રાંધણ ખજાનામાંનું એક છે અને તે મુખ્યત્વે શાકાહારી છે. તે શાકાહારી વાનગીઓની વિશાળ વિવિધતા પ્રદાન કરે છે, દરેક તેની અનન્ય રસોઈ શૈલી સાથે, વિવિધ પ્રકારના અથાણાં, ફરસાણ, ચટણી અને ખોરાક કે જે હંમેશા પોષણ મૂલ્ય પર ઉચ્ચ હોય છે. પણ ગુજરાતી ફૂડનો ખરો સાર રોજિંદા શાકભાજી અને હળવા મસાલાના સર્જનાત્મક ઉપયોગમાં રહેલો છે.
તે સ્વાદોનું એક ઉત્કૃષ્ટ મિશ્રણ છે જ્યાં પ્રખ્યાત ખાંડવી, ઉંધિયુ અને ખમણ ઢોકળા જેવી મોટાભાગની વાનગીઓમાં મીઠી નોંધો પ્રભુત્વ ધરાવે છે. ગુજરાતની દરિયાકાંઠાની આબોહવા મોટાભાગે ગરમ અને શુષ્ક છે, તેથી જ ખાંડ, ટામેટાં અને લીંબુનો ઉપયોગ એકદમ સામાન્ય છે કારણ કે આ ખોરાક શરીરને હાઇડ્રેટ રાખે છે.
1. ખાંડવી
ખૂબ જ પ્રિય ગુજરાતી નાસ્તામાંથી એક ખાંડવીને પટુલી અથવા દહીવડી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેને ચણાના લોટથી બનાવવામાં આવે છે. ખાંડવી એ મહારાષ્ટ્રીયન ભોજનમાં પણ લોકપ્રિય નાસ્તો છે. આ રોલ્ડ નાસ્તો નાળિયેર, સરસવના દાણા અને કઢીના પાન સાથે મિશ્રિત કરવામાં આવે છે.
::::: ખાંડવીની સામગ્રી :::::
60 ગ્રામ બેસન (ચણાનો લોટ)
60 ગ્રામ ખાટું દહીં
375 મિલી પાણી
1/2 ચમચી આદુની પેસ્ટ
1/2 ચમચી લીલા મરચાની પેસ્ટ
1/2 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી મીઠું
1/8 ચમચી હીંગ (હીંગ)
1/8 ચમચી હલ્દી (હળદર)
વઘાર માટે :
2 ચમચી તેલ
1/2 ટીસ્પૂન સરસવના દાણા
2 સૂકી આખી લાલ મરી
4-5 કઢી પત્તા
1 ચમચી ધાણાજીરું
1/4 કપ નાળિયેર, છીણેલું
ખાંડવીના રોલ બનાવવા માટે રેસિપી:
એક મોટા બાઉલમાં બેસન, છાશ, હળદર અને મીઠું લો. તેને હેન્ડ બ્લેન્ડર (અથવા જેરણી) થી બરાબર મિક્ષ કરીને ખીરું બનાવો. ધ્યાન રહે કે ખીરામાં કોઈ ગાંઠ ન રહે. એક મોટી પ્લેટ અથવા થાળીને ઉલ્ટી કરીને પાછળની સપાટી પર (અથવા ફોઈલની ઉપર) તેલ લગાવીને ચીકણી કરો અને એકબાજુ રાખો.
એક જાડા તળિયાવાળી કડાઈમાં ખીરું નાખોં અને ધીમી આંચ પર પકાવો.
તેમાં ગાંઠ ન બને માટે સતત ચમચાથી હલાવતા રહો.
તેને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ થઈ જાય અને બેસનનો કાચો સ્વાદ ન આવે. તેમાં લગભગ 8 મિનિટનો સમય લાગશે. (કડાઈના આકાર અને ખીરાની માત્રા અનુસાર ઓછો અથવા વધારે સમય પણ લાગી શકે છે.
તરત જ પહેલાથી તેલ લગાવેલી થાળી પર ચમચાથી થોડું ખીરું નાખોં અને તેને તાવીથાથી (સપાટ ચમચાથી) સમાનરૂપે એક પાતળા લેયર (સપાટી) માં ફેલાવો. ખીરાની માત્રા અનુસાર આ જ રીતે બધુ ખીરું 2-3 થાળીમાં ફેલાવી દો.
તેને 3-4 મિનિટ માટે ઠંડુ થવા દો. તેને ચાકૂથી ૨ ઇંચ પહોળી સીધી પટ્ટીઓમાં કાપો.
ધ્યાનથી દરેક પટ્ટીમાંથી રોલ બનાવી લો (સ્વિસ રોલની જેમ) અને તેને એક પીરસવાની થાળીમાં મૂકો.
એક નાની કડાઈમાં વઘાર માટે 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં રાઈ નાખોં. જ્યારે રાઈ ફૂટવા લાગે ત્યારે જીરું, લીમડાના પાન અને લીલા મરચાં નાખોં અને 30-40 સેકંડ માટે પકાવો. તેમાં તલ નાખોં અને જ્યારે તલ ફૂટવા લાગે ત્યારે ગેસને બંધ કરી દો.
તૈયાર કરેલો વઘાર ખાંડવીના રોલની ઉપર નાખોં.
તેની ઉપર છીણેલું નારિયેળ અને સમારેલા લીલા ધાણા નાખોં. તેને લીલા ધાણાની ચટણી અથવા લસણની ચટણીની સાથે પીરસો.
2. ઉંધિયુ
આ ગુજરાતી વેજીટેબલ કઢી પૌષ્ટિક અને ખૂબ આરોગ્યપ્રદ છે. રીંગણ, સુરતી પાપડી, બટાકા, નાળિયેર, કેળા અને મેથી જેવા શિયાળાના શાકભાજીના મિશ્રણથી બનેલી આ વાનગી પરંપરાગત રીતે માટીના વાસણમાં પીરસવામાં આવે છે. તે ઉત્તરાયણ (પતંગ ઉડાવવાનો તહેવાર), દિવાળી વગેરે જેવા તહેવારો અને લગ્નની પાર્ટીઓ જેવા ખાસ પ્રસંગો પર આવશ્યક વસ્તુ છે.
::::: ઉંધિયુની સામગ્રી :::::
500 ગ્રામ બટાકા
500 ગ્રામ શક્કરિયાં
150 ગ્રામ રતાળુ
પ્રમાણસર તેલ
100 ગ્રામ ચણાનો જાડો લોટ
1 ચમચી લાલ મરચું
1 ચમચી હળદર
2 ચમચી ધાણાજીરું
1 ચમચી બૂરું ખાંડ
150 ગ્રામ મેથીની ભાજી
150 ગ્રામ નાના કાળા કે લીલા રવૈયા
25 ગ્રામ આદુ
100 ગ્રામ લીલાં મરચાં
1 મોટી ઝૂડી કોથમીર
2 ચમચી ખાંડ
અર્ધી ચમચી સાજીના ફૂલ
1 ચમચી ગરમ મસાલો
2 ચમચી તલ
પા ચમચી હિંગ
અર્ધી ચમચી નારિયેળનુ ભીનાશવાળુ કોપરૂ
75 ગ્રામ લસણ
4 આખા મરચાં(જોકે, આ માપ તમે તમારે જોઈતી તીખાશ પ્રમાણે ઓછુ વત્તુ કરી શકો છો)
1 ચમચી અજમો
500 ગ્રામ ફોલવાની પાપડી
150 ગ્રામ દાણા વગરની પાપડી
350 ગ્રામ તુવેર
પ્રમાણસર મીઠું
ઉંધિયુ બનાવવા માટે રેસિપી:
બટાકા, શક્કરિયા અને કંદને છોલી, ધોઈ લૂછી, ટુકડા કરો અને ત્રણેય ચીજને તેલમાં નાખી તળી નાખો.
ચણાના જાડા લોટમાં ઘૌંનો જાડો લોટ, મીઠું, અર્ધી ચમચી મરચું, અર્ધી ચમચી હળદર, અર્ધી ચમચી ધાણાજીરું, 1 ચમચી બૂરું ખાંડ નાખો. તેમાં વધારે મોણ નાખો.
મેથીની ભાજીને સમારીને, ધોઈને ચળણીમાં કાઢો. તેમાં મીઠું નાખ્ર્ર મસળો અને પાણી કાઢી નાખો, આનાથી કડવાશ જતી રહેશે.
આ ભાજી, લોટમાં નાખી લોટને મસળો અને કઠણ લોટ રાખી, મૂઠિયાં વાળી ગરમ તેલમાં તળો.
રવૈયાને ધોઈને બે તરફથી કાપા કરો. વાટેલા આદુ-મરચાં, કોથમીર, ખાંડ, મીઠું, ધાણાજીરું, સહેજ સાજીના ફૂલ, ગરમ મસાલો, તલ ભેગાં કરી મસાલો રવૈયામાં ભરો. લીલવા પણ વાટીને નાખી શકાય.
એક વાસણમાં તેલ લઈને હિંગ નાખી રવૈયા વધારો અને ચડાવો.
કોથમીરને ઝીણી સમારી ધોઈને થાળીમાં મૂકો. તેમાં વાટેલું આદુ, વાટેલાં મરચાં નાખો. તલ, કોપરાની છીણ, વાટેલું લસણ, ખાંડ, મીઠું અને ધાણાજીરું નાખો. બધુ ભેગુ કરીને મસાલો તૈયાર કરો.
વધારે તેલ મૂકીને તેમાં આખાં લાલ મરચાં, અજમો, મરચું, હળદર અને હિંગ નાખી પાપડી, વાલના દણા અને લીલવા નાખવા.
થોડું મીઠું અને સાજીના ફૂલ પાણીમાં ઓગાળીન નાખવા. ઢાંકીને ચડવા દો. કૂકરમાં એક વ્હીસલ વગાડીને પણ બાફી શકો.
કોથમીરમાં નાખેલા મસાલામાં ગરમ મસાલો નાખો અને બટાકા, શક્કરિયાં, રતાળુ તળીને નાખો. પછી બધું ભેળવો. પછી તેમાં મૂઠિયાં અને ચડેલા રવૈયા નાખો.
દાણા ચડી જાય એટલે આ બધું તેમાં નાખી દો. બરાબર મિક્સ કરો.
ઉંધિયા પર કોથમીર અને કોપરાની છીણ ભભરાવી ગરમ ગરમ પીરસો.
નોધ: ઉંધિયુ બનાવવાની એક પુરાણી રીત છે જે થોડી અઘરી અને અટપટી છે જે વિષે અમે તમને તેની પર આગળના એક વિશેષ આર્ટીકલમાં જણાવશો.
3. મેંગો શ્રીખંડ
શ્રીખંડ એ એક સરળ અને સુખદ ગુજરાતી મીઠાઈ છે જે દહીં સાથે બનાવવામાં આવે છે. મેંગો(કેરી) શ્રીખંડ એ ઉનાળામાં એક સ્વર્ગીય સંયોજન છે! દહીં સાથે કેરી શ્રીખંડ એ કેરીની વિશેષ સ્વાદિષ્ટતા છે જે ફળોના રાજાની સિઝનમાં હોય ત્યારે કોઈએ ચૂકી ન જવું જોઈએ.
::::: મેંગો શ્રીખંડની સામગ્રી :::::
1 લીટર દૂધ
6 ચમચી દળેલી ખાંડ
1 પાકી કેરીનો પલ્પ
1 પાકી કેરી સુધારેલી
એલચી પાવડર
મેંગો શ્રીખંડ બનાવવા માટે રેસિપી:
દૂધને ગરમ કરી ઠંડુ થાય પછી તેમાં મેળવણ નાંખી દહી જમાવો. દહીં જામી જાય પછી તેને એક કાણાવાળા ઝારામાં નાખી દો પછી ફ્રિઝમાં રાખી દો નીચે એક તપેલી રાખો જેથી બધું પાણી તેમાં આવે.
હવે દહીંનો મઠો તૈયાર થઈ ગયો છે તેમાં દળેલી ખાંડ ઉમેરો અને ખૂબ હલાવો.
શ્રીખંડ ખૂબ લીસું થઈ જાય ત્યાં સુધી હલાવો હવે એક પાકી કેરી સુધારી લો તેને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી પલ્પ તૈયાર કરો હવે આ પલ્પ ઉમેરી ફરીથી ખુબ હલાવો.
શ્રીખંડ નો કલર બદલાઈ ગયો છે તે મેંગો શ્રીખંડ લાગે છે હવે તેમાં એક પાકી કેરી સુધારો અને ફરીથી મિક્સ કરો.હવે તેને પ્લાસ્ટિકના ડબ્બામાં કાઢી ફ્રીઝરમાં સેટ કરવા મૂકો. હવે સરસ સેટ થઈ ગયું છે.તેને બાઉલમાં કાઢી પીરસો. તૈયાર છે મેંગો શ્રીખંડ મજા માણો!
4. ખમણ ઢોકળા
ખમણ ઢોકળાની આ સરળ રેસીપી દ્વારા તમે ૨૦ મિનિટમાં મુલાયમ અને સ્પંજી ગુજરાતી ઢોકળા બનાવી શકો છો, તમારે ખીરું તૈયાર કરવા માટે ૮ અથવા ૧૨ કલાકની જરૂર નથી. તાત્કાલિક મુલાયમ ઢોકળા બનાવવા માટે તેમાં બેસનની સાથે ઇનો ફ્રૂટ સોલ્ટનો ઉપયોગ કર્યો છે. ઘરે સરળતાથી પરંપરાગત ખમણ બનાવવા માટે અમારી ઢોકળા રેસીપીના દરેક સ્ટેપ ફોટાની સાથે અનુસરો અને જુઓ કે તે બનાવવામાં કેટલા સરળ છે.
::::: ખમણ ઢોકળાની સામગ્રી :::::
1 કપ બેસન (ચણા નો લોટ)
1 ટેબલસ્પૂન સોજી (રવો), (વૈકલ્પિક)
1&1/2 ટીસ્પૂન લીંબુનો રસ
1 ટીસ્પૂન ઇનો પાઉડર (ઇનો ફ્રૂટ સોલ્ટ)
1 ટીસ્પૂન લીલા મરચાં-આદું છીણેલા
3/4 કપ પાણી
1/4 કપ દહીં
1 ટીસ્પૂન તેલ (થાળી ચીકણી કરવા માટે)
1/2 ટીસ્પૂન મીઠું, (અથવા સ્વાદ પ્રમાણે)
વઘાર માટે:
2 ટેબલસ્પૂન તેલ
10-15 લીમડાના પાન
1/2 ટીસ્પૂન રાઈ
1/2 ટીસ્પૂન જીરું, (વૈકલ્પિક)
1 ટીસ્પૂન તલ
1 ટેબલસ્પૂન ખાંડ
4 લીલા મરચાં, લંબાઈમાં કાપેલા
2 ટેબલસ્પૂન સમારેલા લીલા ધાણા
2 ટેબલસ્પૂન છીણેલું તાજું નારિયેળ, (વૈકલ્પિક)
1 ચપટી હીંગ
1/3 કપ પાણી
ખમણ ઢોકળા બનાવવા માટે રેસિપી:
ઢોકળાનું ખીરું તૈયાર કરવા માટે બધી સામગ્રી તૈયાર રાખો. ઢોકળા બનાવવાના વાસણમાં (ઢોકળિયામાં) લગભગ ૨-૩ કપ પાણી નાખોં અને મધ્યમ આંચ પર ગરમ કરવા મૂકો. પ્લેટ રાખતા પહેલા ઢોકળા બનાવવાના વાસણને ઓછામાં ઓછી ૪-૫ મિનિટ માટે ગરમ કરો. ૨ નાની થાળીને (૪-૫ ઇંચ વ્યાસવાળી અથવા જે પણ ઢોકળા બનાવવાના વાસણમાં સરળતાથી રાખી શકાય) ૧ ટીસ્પૂન તેલ લગાવીને ચીકણી કરી લો.
એક મોટા બાઉલમાં બેસન, સોજી, લીંબુનો રસ, લીલા મરચાં-આદુંની પેસ્ટ, દહીં, ૩/૪ કપ પાણી અને મીઠું નાખોં. તેને બરાબર ચમચીથી મિક્ષ કરો. ખીરામાં ગાંઠ ન હોવી જોઈએ.
હવે તેમાં ઇનો પાઉડર નાખીને 1 મિનિટ સુધી હલાવો, ખીરું લગભગ બેગણું થઈ જશે.
હવે, તરત જ તેલ લગાવેલી થાળીમાં ખીરું નાખોં, થાળીની 1/2 ઇંચ ઉંચાઇ સુધી જ ખીરું નાખોં.
ઢોકળિયામાં એક સ્ટેન્ડ મૂકો અને તેની ઉપર ખીરું નાખેલી થાળી મૂકીને મધ્યમ આંચ પર 10-12 મિનિટ માટે વરાળમાં પકાવો.
10-12 મિનિટ પછી, ઢોકળામાં વચ્ચે એક ચાકૂ નાખીને જુઓ, જો ચાકૂમાં ખીરું ન ચિપકે, તો ઢોકળા ચડી (ચડી) ગયા છે નહીતર વધારે 2-3 મિનિટ સુધી પકાવો.
ગેસને બંધ કરી દો. ઢોકળાની થાળી ઢોકળિયામાંથી બહાર કાઢો અને થોડી મિનિટ માટે ઠંડા થવા દો. ખમણ ઢોકળાને ચાકૂથી નાના નાના ટુકડાઓમાં કાપો.
એક નાના પેનમાં ૨ ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં રાઈ અને હીંગ નાખોં. જ્યારે તે ફૂટવા લાગે ત્યારે તેમાં જીરું, તલ, લીમડાના પાન અને લીલા મરચાં નાખીને થોડી સેકંડ માટે સાંતળો.
તેમાં 1/3 કપ પાણી અને ખાંડ નાખોં અને તેને ઉકળવા મૂકો; એક ઊભરો આવે પછી એક મિનિટ માટે પકાવો. વઘાર તૈયાર છે તેને ઢોકળા પર નાખીને ઢોકળાને ધીમેથી ઉછાળો જેથી વઘાર બરાબર રીતે લાગી જાય.
તેને કાપેલા લીલા ધાણા અને છીણેલા નારિયેળથી સજાવીને લીલા ધાણાની ચટણી સાથે પીરસો.
5. બાજરી મેથીના ઢેબરા:
આ ડાયાબિટીસ ના રોગી ઓ માટે એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગુજરાતી નાસ્તો છે જે સામાન્ય રીતે શિયાળા ની ઋતુમાં સાંજના નાસ્તામાં અથવા જમવા માટે બનાવવામાં આવે છે અને દહીંની સાથે પીરસવામાં આવે છે. આ બાજરી મેથી ના ઢેબરા ની રેસીપી કોઈપણ ભારતીય પૂરી/પરોઠાથી મળતી આવે છે – બાજરી નો લોટ, મેથી ની ભાજી અને મસાલાથી બનાવેલ વડા અથવા કટલેસ ને તેલમાં તળવામાં આવે છે અથવા શેકવામાં આવે છે. આ સ્ટેપ બાય સ્ટેપ ફોટો રેસીપીમાં તળવાની અને તેલમાં શેકવાની બનેં રીત સમજાવામાં આવી છે.
::::: બાજરી મેથીના ઢેબરાની સામગ્રી :::::
1 & 1/2 કપ બાજરી નો લોટ
1 કપ કાપેલી તાજી મેથી ની ભાજી
2-3 લીલા મરચાં, બારીક કાપેલાં(વૈકલ્પિક)
1 ટીસ્પૂન ધાણા પાઉડર
1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
3/4 ટીસ્પૂન હળદર
1/4 કપ દહીં
1/2 ટેબલસ્પૂન તલ
નમક/મીઠું, સ્વાદ અનુસાર
તેલ, તળવા માટે
બાજરી મેથીના ઢેબરા બનાવવા માટે રેસિપી:
એક મોટા બાઉલમાં બાજરીનો લોટ, કાપેલી મેથીની ભાજી, ધાણા પાઉડર, લાલ મરચું પાઉડર, હળદર, દહીં, તલ અને મીઠું નાખોં અને બરાબર મિક્ષ કરો.
તેમાં થોડું થોડું કરીને પાણી નાખોં અને પરોઠા ના લોટની જેમ થોડો કઠણ લોટ બાંધો.
તમારી હથેળીને તેલથી ચીકણી કરી લો. લોટમાંથી લીંબુના કદ નો એક ટુકડો લો અને તેમાંથી ગોળાકાર લુઆ બનાવો. વધેલા લોટમાંથી આવી જ રીતે લુઆ(લગભગ 15-લુઆ) બનાવો.
દરેક લુઆ ને તમારી હથેળી ની વચ્ચે અથવા કોઈ સખત સપાટી ઉપર દબાવીને ૩-ઇંચ નું ગોળાકાર(લગભગ ૨/૩ સેમી જાડું) બનાવો અને તેને એક પ્લેટમાં મૂકો. અથવા બીજી રીતે, તમે તેને પ્લાસ્ટિક શીટ અથવા પાટલી ઉપર વણી શકો છો.
એક ફ્રાઈંગ કડાઈમાં મધ્યમ આંચ પર તેલ ગરમ કરો. જ્યારે તે મધ્યમ ગરમ થઈ જાય, તેમાં ધીમેથી ૩-૪ સપાટ ગોળાકાર નાખોં અને બનેં બાજુ હલ્કા ગોલ્ડન થાય ત્યાં સુધી તળો.
તેનું વધારાનું તેલ શોષી લેવા માટે તેમને એક પ્લેટમાં પેપર નેપકિન ઉપર મૂકો. બચેલા ઢેબરા આવી રીતે તેલમાં તળી લો.
મેથીના ઢેબરા(વડા) પીરસવા માટે તૈયાર છે. તેને દહીં અને અથાણાંની સાથે સાંજના જમવામાં અથવા સાંજે ચા સાથે પૌષ્ટિક નાસ્તાની જેમ પીરસો.
……………………………………..
આ વાનગીઓ વર્ષમાં ગમે ત્યારે નાસ્તો અથવા બપોરના ભોજનમાં પણ બનાવી અને માણી શકાય છે. રેસીપીને સંપૂર્ણ બનાવવાની અપેક્ષા કરતા પહેલા તેને થોડીવાર બનાવવાનો પ્રયાસ કરો! અમારો આ વાનગીઓ વિષેનો આર્ટીકલ જો તમને પસંદ આવ્યો હોય તો અમને કમેન્ટમાં અભિપ્રાય આપો.
વિશેષ નોધ: તમે જો કોઈક વિશેષ પ્રકારની વાનગી વિષે જાણતા હોવ અને તેના વિષે જણાવવા માટે ઉત્સુક હોવ તો અમને 9173204485 નંબર પર વોટ્સએપ કરો.
Food special article From – Banaskantha Update