ડીસામાં આપ પાર્ટીના કાર્યકરોની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

Share

ડીસામાં મંગળવારે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં આમ આદમી પાર્ટીના સદસ્ય અને કાર્યકરો દ્વારા ડીસાના ફૂવારા સર્કલથી ગાયત્રી મંદિર સુધીના રોડમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો

[google_ad]

 

અને તે રોડ બાબતમાં ભ્રષ્ટાચાર આચર્યો હોય તેની તપાસ થવી જોઇએ અને જેને પણ ભ્રષ્ટાચાર કર્યો છે તેના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.ગાંધીનગર ખાતે મ્યુનીસીપલ કમિશનરમાં ફરિયાદ કરવામાં આવી છે અને જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ધરણાં કરી ગાંધી ચિંધ્યા આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

From – Banaskantha Update


Share