બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના ટડાવ ગામમાં 2 દિવસ પહેલાં પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકોની બેઠક યોજાઇ હતી.
જેમાં સરકાર દ્વારા કાયમી સબસીડી ચાલુ નહીં કરાય તો ગૌશાળાની ચાવીઓ સરકારને સોંપશે તેવી ચર્ચા કરાઇ હતી. તે બાદ આવેદનપત્ર આપવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.
ત્યારે સોમવારે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો પાલનપુર જીલ્લા કલેક્ટર કચેરીમાં જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.
અને જો તાત્કાલીક ધોરણે સરકાર દ્વારા કાયમી સબસીડી ચાલુ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
સમગ્ર ગુજરાતમાં 1,500 ગૌશાળા અને 250 પાંજરાપોળ આવેલી છે. કોરોના પછી રાજ્યમાં ગૌશાળાઓ અને પાંજરાપોળમાં રહેલ ગૌધનની સેવા કરવી અને ઘાસચારો પણ મોંઘો થયો હોવાથી નિભાવ કરવું મુશ્કેલ બન્યું છે.
ત્યારે રાજ્ય સરકાર દ્વારા કાયમી ધોરણે સરકાર સબસીડી આગામી બજેટમાં રજૂ કરવામાં નહીં આવે તો ગૌશાળા સંચાલકો અને પાંજરાપોળના સંચાલકો દ્વારા પશુધનને ગાંધીનગરમાં છોડશે નહીંતર ગૌશાળા અને પાંજરાપોળની ચાવીઓ સરકારને સંચાલક કરવા માટે સોંપશે તેમ જણાવ્યું હતું.
સરકારમાં અનેક વખત ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોની ટીમ દ્વારા ગાંધીનગર મુખ્યમંત્રી સુધી અનેક મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે.
તેમ છતાં પણ હજી સુધી સરકારના પેટનું પાણી પણ હલતું નથી. અત્યારે ગામડે-ગામડે રખડતાં ગૌવંશને સાચવતી ગૌશાળાઓ અને પાંજરાપોળને સરકાર દ્વારા કાયમી ધોરણે આર્થિક મદદની જરૂર હોવાથી 250 જેટલી પાંજરાપોળ અને 1,500 ગૌશાળાઓની હાલત કફોડી બની છે.
ત્યારે ઘાસચારાનો ભાવ વધવાથી ગૌવંશને કેવી રીતે સાચવવું તે મુશ્કેલ બની ગયું છે. ત્યારે સોમવારે બનાસકાંઠા જીલ્લાના ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો પાલનપુર જીલ્લા કલેક્ટર કચેરીમાં જીલ્લા કલેક્ટર આનંદ પટેલને પશુ કાયમી સહાય મળે તેને લઇને રજૂઆત કરાઇ હતી.
જ્યારે સરકાર પાસે કાયમી ધોરણે સબસીડીની માંગણી કરી છે અને જો આગામી સમયમાં કાયમી સબસીડી ચાલુ નહી કરાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
From-Banaskantha update