પાલનપુરમાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે : જીલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

- Advertisement -
Share

 

રાજ્યમાં ફ્રેબ્રુઆરી માસમાં ગરીબ કલ્યાણ મેળા યોજાનાર છે. જે અંતર્ગત બનાસકાંઠા જીલ્લામાં પાલનપુરમાં આગામી તા. 24 ફેબ્રુઆરી-2022 ના રોજ યોજાનારા ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

 

 

આ બેઠકમાં કલેક્ટર આનંદ પટેલે અધિકારીઓને સુચના આપતાં જણાવ્યું હતું કે, ‘ગરીબોને મળતાં લાભો એક મંચ પરથી તેમને સીધા જ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે.

 

જીલ્લાની તમામ કચેરીઓએ પોતાના વિભાગની યોજનાના લાભાર્થીની યાદી તૈયાર કરી તેની ડેટા એન્ટ્રી સમયસર પૂર્ણ કરી લાભો આપવા તેમણે જણાવ્યું હતું.’

 

રાજ્ય સરકારના ગરીબી નિવારણ માટેના મહત્વના પગલાં સમાન ગરીબ કલ્યાણ મેળામાં છેવાડાના ગરીબ વ્યક્તિને સીધા હાથો હાથ લાભ આપવામાં આવે છે.

 

ત્યારે પાત્રતા ધરાવતા મહત્તમ લાભાર્થીઓ ગરીબ કલ્યાણ મેળામાં આવી લાભો મેળવે તેનું આયોજન કરવા તેમણે જણાવ્યું હતું.

 

આ ગરીબ કલ્યાણ મેળામાં ગામડાના જરૂરીયાતમંદ લાભાર્થીઓને અગ્રતા આપી એક મંચ પરથી વિવિધ યોજનાકીય સાધન સહાયથી ગરીબ લાભાર્થીઓને લાભાન્વીત કરવામાં આવશે.

 

દરેક અમલીકરણ અધિકારીઓ ખાસ રસ લઇ પોતાના વિભાગની યોજનાઓના લાભાર્થીઓ સુધી સહાય પહોંચાડવા માઇક્રો પ્લાનીંગ કરી વધુમાં વધુ લાભાર્થીઓને લાભ આપી તેમને મદદરૂપ બનીએ.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!